Abtak Media Google News

સરદારનગરમાં ઇન્દુભાઇ બદાણીની અઘ્યક્ષતામાં બૃહદ રાજકોટના સંઘોના પ્રતિનિધિઓએ પૂ. ધીરગુરુદેવ તથા મહાસતીજી વૃંદની નિશ્રામાં દીક્ષાર્થી મોનાલીબેનનું રજતશ્રીફળ, શાલ, પ્રશસ્તિ પત્રથી સન્માન કર્યા બાદ માતા-પિતા તેમજ આશરા પરિવારના માલતીબેન અને મહેતા પરિવારના રમેશભાઇ અને કુમુદબેનનું તથા શય્યાદાન કળશના લાભાર્થી પુષ્પાબેન વાડીલાલ બાવીસી, વિનોદભાઇ ઉદાણીનું સન્માન કરાયેલ.

અનુમોદનાનો લાભ બિંદુબેન ધર્મેશ મહેતા, દયાબેન હાથીભાઇ મહેતા અને નવકારશીનો લાભ ટ્રસ્ટી મંડળે લીધેલ. પૂ. બુધવારે મહાવીર નગર પધારશે. જયાં સવારે ૯ થી ૧૦.૩૦ કલાકે પ્રવચન યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.