Abtak Media Google News

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા યોજાયો કાર્યક્રમ

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા અંગદાન ઋણ સ્વીકાર અંગે જાગૃતિ લઈ આવવા માટે સંતકબીર રોડ પ્રજાપતિ વાડી ૨ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

Vlcsnap 2017 06 26 11H18M33S187જેમાં અમદાવાદના ડોકટર પ્રાંજલ મોદી કહ્યું હતુ કે અંગદાન એ મહાદાન તેવું અપણે કહીએ છે પરંતુ આજે ભારતમાં ખૂબજ ઓછા પ્રમાણમાં અંગદાન થાય છે. અને અંગદાન તોજ થઈ શકે જયારે બ્રેઈન ડેડ હોય અને દર્દી વેન્ટીલેટર પર હોય કારણ કે દર્દીના શરીરમાં લોહીનું સરકયુલેશન તો શ‚ હોય જ છે. જયારે માણસનું મૃત્યુ થાય ત્યારે તેનું હૃદય કામ નથી કરતું પરું જો બ્રેઈન ડેડ થયું હોય અને વ્યકિત વેન્ટીલેટર પર હોય તો તેનું હૃદય પણ કોઈ બીજા વ્યકિતના જીવ બચી શકે છે.

સચવાયેલો રહે. ઓછી કિંમતે સા‚ ડેવલોપમેન્ટ કરી શકે. અને અમે બે સંસ્થાએ ભેગા મળી તારણ પણ આપેલું છે કે હવે, ભેગા મળી રીસર્ચ એન્હ ડેવલપમેન્ટ પર કામ કરીશું આ પહેલો પ્રયાસ હતો ત્યારે ધારણાથી પણ વધુ સફળતા મળી છે.

નિતિનભાઈ ઘાટલીયા એ જણાવ્યું હતુ કે આ અંગેની સમગ્ર પ્રરેણા અમને અમારી જ જ્ઞાતિની દિકરી રાધિકાનું બ્રેઈનડેડ થયું હતુ અને તેના અંગદાનની તીથી હતી. ત્યારે મારા નાના ભાઈનું લીવર ડીટેકટ થતા અને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ડો. વિરોજાના માર્ગદર્શનથી અને શિબિરમાં વાત થઈ કે આ લિવર ટ્રાન્સપ્લાન્ટથી તેમને બચાવી શકાય છે. ત્યારે પ્રાંજલ મોદી જે ડોકટર છે. તેમણે ઓપરેશન કર્યું હતુ ત્યારે ડોકટર દિવ્પેશ વિરોજાએ જણાવ્યુંં હતુ કે અંગદાન એ મેડિકલ સાયન્સમાં ખૂબજ અગત્યની વસ્તું છે. અને અંગદાન એટલે કિડની, લીવર, હૃદય બંધ થઈ જાય તો તેવા દર્દીઓને અમુક સર્જરી કરીને જેને ટ્રાન્સપ્લાનટેશન કંહેવામાં આવે છે ડોકટર સંકલ્પ વણઝારા ક્રિટીકલ કેસ સ્પેશ્યાલીસ્ટ આજે છેલ્લા ૧૧ વર્ષમાં રાજકોટમાં જે ૫૦ બ્રેઈન ડેડ ડોનર્સે અંગદાન કરેલું છે. તેમના પરિવારનો આભાર કરવા માટે કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમમાં અંગદાન કઈ રીતે થઈ શકે અને કેવી રીતે થાય તેની માહિતી આપશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.