- જાગનાથ મંદિર પાસેથી રામકૃષ્ણ ડેરી સુધીનો યાજ્ઞિક રોડ બંધ રહેશે: વૈકલ્પીક રસ્તાઓ જાહેર કરાયા
શહેર વોડ નં.7માં આવેલા સર્વેશ્વર ચોકથી ડો.યાજ્ઞિક રોડને જોડાતા હૈયાત વોકળો ડાયવર્ઝન કરી નવું બોકસ કલ્વર્ટ બનાવવાના કામ સર્વેશ્વર ચોકમાં પૂરું થયું છે.હવે કાલ સાંજથી નાગરિક બેંક પાસે ડો.યાજ્ઞિક રોડ પર કામ શરૂ કરવાનું થાય છે. જેના કારણે ડો.યાજ્ઞિક રોડ પર સરદારનગર મેઇન રોડથી ન્યુ જાગનાથ શેરી નં.-20 સુધીનો રોડ પર વાહનોની અવર જવર ચાર માસ સુધી બંધ કરવામાં આવશે.
ડો.યાજ્ઞિક રોડ પર માલવીયા ચોકથી રેસકોર્સ તરફ અવર-જવર માટે વૈકલ્પિક રસ્તાનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યૂ છે.
સર્વેશ્વર ચોક ખાતે આવેલ બંને સાઇડના રસ્તા પર 50-50 મીટર રોડ બંધ કરવામાં આવશે. એના સિવાય યાજ્ઞિક રોડ ઉપર વાહનોની અવર-જવર ચાલુ રહેશે.
સર્વેશ્વર ચોકની આસપાસની દુકાન/ઓફીસ વગેરેનું પાર્કીંગની અલાદી વ્યવસ્થા કરવામાં આવશે.અને વ્યપારી તેમજ ગ્રાહકો માટે અવર -જવર માટે રસ્તો ચાલુ રહેશે. અને ત્યા ગાડીઓ પાર્કીંગ કરી શકાશે.
રેસકોર્ષથી માલવીયા ચોક તરફ આવતા મોટર વ્હીકલ જેવા કે, એસ.ટી. બસ તથા પ્રાઇવેટ લકઝરી તથા લાઇટ મોટર વ્હીકલ જેવા કે, કાર એમ્બ્યુલન્સ વિગેરે વાહનોની અવર જવર બહુમાળી ભવનથી જિલ્લા બેન્ક ભવન ચોક થી જ્યુબેલી ગાર્ડન ચોક થઇ જવાહરરોડ પરથી ત્રિકોણબાગ સર્કલ તરફ માલવીયા ચોક જઇ શકશે.
રેસકોર્ષથી માલવીયા ચોક તરફ આવતા ટુ-વ્હીલર્સ તથા થ્રી-વ્હીલરની અવર જવર જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક થઇ મોટી ટાકી ચોક લીબડા ચોકથી પસાર થઇને ડો.રાજેન્દ્રપ્રસાદ રોડ (શાસ્ત્રી મેદાન અને રાજકુમાર કોલેજ વચ્ચેનો રસ્તો) પરથી પસાર થઇને માલવીયા ચોક તરફ જઇ શકશે. ડો.યાજ્ઞિક રોડથી રેસકોર્સ તરફ આવતા બધા જ પ્રકારના વાહનોની અવર જવર ડો.દસ્તૂર માર્ગ પરથી એસ્ટ્રોન ચોક થઇને મહિલા કોલેજ ચોક તરફથી કિશાનપરા ચોક થઇને જિલ્લા પંચાયત ચોક તરફ જઇ શકશે. (નોંધ ડો.દસ્તુર માર્ગ હાલ વન-વે હોય ઉપરોકત વિષયમાં દર્શાવેલ કામપુર્ણ ન થાય ત્યા સુધી ટુ-વે કરવામાં આવે છે.) ડો.યાજ્ઞિક રોડ થી રેસકોર્સ તરફ આવતા બધા જ પ્રકારના વાહનોની અવર જવર શ્રી રામકૃષ્ણ આશ્રમથી ડો.યાજ્ઞિક રોડ ઉપર હાઇસ્ટ્રીટ બિઝનેસ થી ડાબી તરફ શ્રી સ્વામિવિવેકાનંદ માર્ગ પર રામકૃષ્ણનગર શેરી નં-10 પરથી પસાર થઇ વિરાણી હાઇસ્કુલ પાસેથી જમણી તરફ ટાગોર રોડ પર થઇને એસ્ટ્રોનચોક -મહિલા કોલેજ-કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી જઇ શકાશે.
હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલક મોટર વાહન અધિનિયમ-1988ની કલમ-183 અને કલમ-184 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.આ જાહેરનામુ ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહીની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને આકસ્મીક સંજોગોમાં લાગુ પડશે નહીં.