• ભાદરવી પૂનમે 1,352 ધજા ચડાવી ભક્તોએ અનુભવી ધન્યતા

Ambaji: અંબાજીમાં આજના દિવસે માતાજીનું પ્રાગટ્ય થયુ હોવાની વાયકા છે. તેથી જ ભાદરવી પૂનમે અંબાજીમાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટે છે. આ દિવસે માના દર્શન કરવા અને પૂણ્યનું ભાથુ બાંધવા દૂર દૂરથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે. ત્યારે માં ના પ્રાગટ્ય દિવસે અંબાજીમાં મોટો મેળો જામે છે. પાંચ દિવસથી ચાલી રહેલા આ મેળામાં અત્યાર સુધીમાં 22.35 લાખ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે. ભાવિકો આ દિવસે મા અંબેની ભક્તિમાં લીન થાય છે અને માં ને રિઝવવા અવનવી ભેટો ચડાવે છે. આવા જ એક માઈ ભક્ત દ્વારા ભાદરવી પૂનમે અંબાજી મંદિરમાં વિશ્વની સૌથી મોટી ધજા ચડાવવામાં આવી હતી. જેમાં અમદાવાદના દેવીપૂજક સંઘ તરફથી મા અંબેને આ ધજા અર્પણ કરવામાં આવી છે. સંઘના 3500 ભાવિભક્તોએ મંદિરમાં આ ધજા ચડાવી છે. આ સંઘે વિશ્વની સૌથી મોટી 1352 ગજની ધજા મા ને અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

આ સંઘના 3500થી વધુ ભાવિભક્તો દ્વારા મંદિરમાં આ વિશાળ ધજા ચડાવવામાં આવી છે. મા અંબાની દર્શન કરીને સહુ કોઈની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના આ પાંચ દિવસના મેળા દરમિયાન કૂલ 22.35 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. છઠ્ઠા દિવસે પણ વિવિધ સંઘોનો મંદિરમાં અવિરત પ્રવાહ શરૂ જ છે. અત્યાર સુધીમાં 2500 થી વધુ સંઘ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા છે. ભાદરવી પૂનમના મેળાની બુધવારે પૂર્ણાહુતિ થશે. મેળાની સમાપ્તિ પહેલા મા ને નોરતાનું આમંત્રણ આપવા ભાવિકો પહોંચ્યા છે. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને રાજકોટનો ખોડિયાર સંઘ પણ દર્શનાર્થે પહોંચ્યો છે. 10થી વધુ દિવસ પદયાત્રા કરી અંબાજી પહોંચનારા ભક્તોએ મા ના દર્શન કર્યા છે. ચાચર ચોકમાં શ્રદ્ધાળુઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.