• મહીસાગર  જીલ્લામાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો
  • પત્નીએ બચકું ભરતાં યુવકને હોસ્પિટલમાં સારવાર લેવી પડી
  • પત્નીએ પતિને બચકું ભરતાં કેસ પેપરમાં લખાવ્યું બૈરું કરડ્યું

મહીસાગર ન્યુઝ: વિરપુર તાલુકા મથકે આવેલ સરકારી દવાખાને સાંજના ઓપીડી સમયે હાજર ડો. મૌલિક પટેલ પાસે વિરપુરના શેખ પરિવાર પચ્ચીસ વર્ષીય પેશન્ટ આવ્યા હતા.જે બાદ ડોક્ટરે શું થયું છે પૂછતા યુવકે પત્નીએ બચકું ભર્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે દર્દી દ્વારા પૂરી હકીકત જણાવતા પત્ની સાથે સામાન્ય વાત ને લઇ બોલાચાલી થતાં ઉગ્ર બનેલા પત્ની પતિને હાથની આંગળી પર બચકું ભરી ઘાયલ કર્યા હતા. તેની સારવાર માટે યુવક સરકારી દવાખાને આવી હાજર તબીબ મૌલિક પટેલ દ્વારા દર્દીને જરૂરિયાત પ્રમાણે દવા કરી રવાના કર્યા હતા. જેમાં ડોક્ટરે સારવાર શરૂ કરી તેને ધનુર ન થાય તે માટે દવા પણ આપી હતી. પરંતુ જ્યારે કેસ પેપરમાં ડો. મૌલિક પટેલ દ્વારા લખાયેલ બૈરું કરડ્યું ના શબ્દો જોતા વિરપુર તાલુકાના સોશિયલ મીડિયામાં વાયરલ થયું અને કૂતરું, બલાડું, વાનર જેવા પ્રાણી કરડયા ના કિસ્સા બન્યા પણ બૈરું કરડ્યું નો પ્રથમ કિસ્સો બનતા તેણે સમગ્ર મહીસાગર જિલ્લામાં ચકચાર મચાવી રમુજી ઉપજાવી હતી

અમીન કોઠારી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.