- સુપ્રીમ કોર્ટના તમામ જજ સંપત્તિની વિગતો જાહેર કરશે
- દિલ્હી હાઈકોર્ટના જજનાં ઘરેથી રોકડ રકમ મળી આવ્યા બાદ નિર્ણય
- CJI સંજીવ ખન્નાને પોતાની સંપત્તિની માહિતી કરી જાહેર
ન્યાયતંત્રમાં પારદર્શિતા અને જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે, સુપ્રીમ કોર્ટના તમામ જજોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલ મુજબ, 1 એપ્રિલના રોજ યોજાયેલી ફુલ કોર્ટ મીટિંગમાં, બધા 34 જજોએ ચીફ જસ્ટિસ એફ ઈન્ડિયા સંજીવ ખન્ના સમક્ષ તેમની સંપત્તિ જાહેર કરવાનો નિર્ણય લીધો. તેમજ સુપ્રીમ કોર્ટમાં જજોની નિર્ધારિત સંખ્યા 34 છે. હાલમાં અહીં 33 જજ છે, એક પદ ખાલી છે. બધા જજોએ પોતાની સંપત્તિનું ઘોષણાપત્ર કોર્ટમાં રજૂ કર્યું છે. જો કે, આ જાહેર કરવામાં આવ્યા નથી.
સુપ્રીમ કોર્ટના તમામ 33 ન્યાયાધીશો તેમની સંપત્તિની વિગતો જાહેર કરશે. ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર સંબંધિત ચર્ચાઓ વચ્ચે લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય 1 એપ્રિલના રોજ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતામાં મળેલી તમામ ન્યાયાધીશોની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ આપવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્નાને પણ પોતાની સંપત્તિની માહિતી જાહેર કરી આ નિર્ણયને સ્વીકાર્યો છે. સુપ્રીમ કોર્ટની ફુલ કોર્ટે નિર્ણય લીધો છે કે, સુપ્રીમ કોર્ટમાં જજનું પદ સંભાળી રહેલા તમામ જજોને પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવી પડશે. આ ઉપરાંત સંપત્તિની તમામ વિગતો સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે.
CJI સંજીવ ખન્નાને પોતાની સંપત્તિની માહિતી કરી જાહેર
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, દેશના CJI અને જજે પોતાની સંપત્તિઓ વિશે સંપૂર્ણ વિગતો સ્વેચ્છાએ સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જાહેર કરવાની રહેશે. અત્યારે પણ ન્યાયાધીશો મુખ્ય ન્યાયાધીશને આ વિશે જાણ કરે છે પરંતુ તે જાહેર કરવામાં આવતું નથી. હાલ CJI સહિત સુપ્રીમ કોર્ટના કુલ 30 જજએ પોતાની સંપત્તિ જાહેર કરી છે. જેમાં CJI સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવાઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ અભય એસ. ઓક, જસ્ટિસ જે.કે. મહેશ્વરી, જસ્ટિસ બીવી નાગરત્ના સહિતના જજ સામેલ છે.
દિલ્હી હાઈકોર્ટના ઘરેથી રોકડ ઝડપાતાં લીધો નિર્ણય?
થોડા દિવસ પહેલાં જ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના નિવાસ સ્થાનેથી મોટા પ્રમાણમાં રોકડ ઝડપાઈ હતી. આ રોકડ મામલે તપાસ માટે CJI સંજીવ ખન્નાએ 22 માર્ચના રોજ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ ત્રણ સભ્યોની આંતરિક તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત 14 માર્ચના રોજ જસ્ટિસના ઘરે આગ લાગી હતી. જેમાં ફાયર બ્રિગેડની ટીમને સ્ટોર રૂમમાંથી નોટોના બંડલ અર્ધ સળગેલી હાલતમાં મળ્યા હતાં. તેમજ જસ્ટિસ યશવંત વર્મા પર લાગેલા આરોપોને ધ્યાનમાં રાખતાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય જાહેર કર્યો છે.