Navratri 2024 :  શારદીય નવરાત્રિનો તહેવાર અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ શક્તિની ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ તહેવાર લોકોને આધ્યાત્મિક રીતે જાગૃત કરવાની અને દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવાની તક પૂરી પાડે છે.

નવરાત્રિ શા માટે 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે

durga

શારદીય નવરાત્રિની શરૂઆત ઘટસ્થાપન સાથે થાય છે અને છેલ્લો દિવસ “વિજયાદશમી” (દશેરા) તરીકે ઉજવવામાં આવે છે. તેમાં ભગવાન રામે લંકાપતિ રાવણને હરાવ્યા હતા અને દેવી દુર્ગાએ મહિષાસુરને હરાવ્યા હતા. એક દંતકથા અનુસાર, માતા દુર્ગાએ 9 દિવસ સુધી મહિષાસુર રાક્ષસ સાથે યુદ્ધ કર્યું અને પછી નવમા દિવસની રાત્રે તેનો વધ કર્યો હતો. ત્યારથી જ દેવી માતા ‘મહિષાસુરમર્દિની’ તરીકે ઓળખાય છે. આ દરમિયાન  માતા દુર્ગાની શક્તિને સમર્પિત કરવા નવરાત્રી વ્રતનું પાલન કરતી વખતે માતાજીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

શારદીય નવરાત્રિમાં ઉપવાસનું મહત્વ

શારદીય નવરાત્રિમાં ઉપવાસનું મહત્વ ધણુ જ છે. તેમજ શરદ ઋતુનો પ્રારંભ થતા ઋતુઓ બદલાવા લાગે છે. આ કારણથી નવરાત્રિના સમયગાળા દરમિયાન ઉપાસકો સંતુલિત અને સાત્વિક આહાર લે છે. તેમજ ચિંતન અને ધ્યાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને પોતાને અંદરથી શક્તિશાળી બનાવે છે. આ કારણે ઋતુ પરિવર્તનથી  તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડતી નથી. તેથી આપણે સંપૂર્ણ શુદ્ધિ સાથે માં દુર્ગાની પૂજા કરી શકીએ છીએ.

શારદીય નવરાત્રિમાં ‘રાત્રિ’ પૂજાનું મહત્વ

pooja 1

નવરાત્રિની 9 રાત ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તેમજ એવું કહેવાય છે કે આમાં વ્યક્તિ ઉપવાસ, પૂજા, મંત્રોચ્ચાર, સંયમ, નિયમો, યજ્ઞ, તંત્ર, પાઠ, યોગ દ્વારા નવ અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. તેમજ પુરાણો અનુસાર રાત્રે અનેક પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે. રાત્રિનો સમય શાંત રહે છે, તેથી દિવસ કરતાં રાત્રે ભગવાન સાથેનો સંપર્ક વધુ અસરકારક છે. આ સાથે રાત્રે દેવી દુર્ગાની પૂજા કરીને શરીર, મન અને આત્મા દ્વારા વ્યક્તિ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરે છે.

નવરાત્રિની 9 શક્તિઓ

૯ durga

નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, જેને નવદુર્ગા તરીકે ઓળખવામાં આવે છે.

-શૈલપુત્રી

-બ્રહ્મચારિણી

-ચંદ્રઘંટા

-કુષ્માંડા

-સ્કંદમાતા

-કાત્યાયની

-કાલરાત્રિ

-મહાગૌરી

-સિદ્ધિદાત્રી

આ 9 સ્વરૂપો માતા દુર્ગાના છે. માતા દુર્ગાએ 9 દિવસ સુધી મહિષાસુર રાક્ષસ સાથે યુદ્ધ કર્યું અને પછી નવમા દિવસની રાત્રે રાક્ષસનો વધ કર્યો હતો. તેથી 9 દિવસ સુધી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.