Abtak Media Google News
  • અપ્રમાણિક કરદાતાના પગલે સરકારને કરની આવકમાં પહોંચે છે મોટી નુકસાની

પ્રામાણિકતા શ્રેષ્ઠ નીતિ હોઈ શકે છે, પરંતુ જ્યારે તે કરની વાત આવે ત્યારે નહીં.  પાછલા સપ્તાહની સંપત્તિ દર્શાવે છે કે કરદાતાઓનો મોટો હિસ્સો તેમના કરનો બોજ ઘટાડવા માટે થોડા અપ્રમાણિક બનવા તૈયાર છે.  તેઓ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને ટાળવા માટે નકલી બિલ સબમિટ કરવા, આવક છુપાવવી અથવા ઇન્વોઇસ વિના સ્ટૂલ ખરીદવા સહિત કેટલીક શંકાસ્પદ યુક્તિઓ અપનાવવા તૈયાર છે.  ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતું નથી કારણ કે વ્યક્તિગત સ્તરે ટેક્સ લિકેજ ખૂબ ઓછું છે.  ટેક્સ લિકેજને ઠીક કરવાનો ખર્ચ કેટલીકવાર વસૂલ કરેલી રકમ કરતાં વધી જાય છે.

 જ્યારે મોટી છૂટની વાત આવે છે ત્યારે ટેક્સ વિભાગ એટલું ક્ષમાશીલ નથી.  ત્રણ મહિના પહેલા, વિભાગને લગભગ 10,000 વ્યક્તિઓ દ્વારા મોટી ચોરી શોધી કાઢવામાં આવી હતી જેમણે મકાન ભાડા ભથ્થા મુક્તિનો દાવો કર્યો હતો જ્યારે તેઓ ભાડા પર રહેતા હતા. કરદાતાઓની માહિતીને લિંક કરવા માટે કર સત્તાવાળાઓ દ્વારા ટેક્નોલોજી અને ઓટોમેશન પ્રક્રિયાઓના વધતા ઉપયોગ સાથે, કપટપૂર્ણ દાવાઓનો આશરો લેનારાઓને જોવાનું વધુ જોખમ રહેલું છે,” કુમાર ચેતવણી આપે છે.  આવા ઇરાદાપૂર્વકના ઉલ્લંઘન માટે દંડ કરચોરીની રકમના 300% સુધી હોઇ શકે છે.  જો રકમ 25 લાખ રૂપિયાથી વધુ હોય તો કરદાતાને જેલ પણ થઈ શકે છે.  તેથી, આવકવેરા રિટર્નમાં મુક્તિનો દાવો કરતી વખતે કરદાતાઓએ સાવચેત રહેવાની જરૂર છે.

સામાન્ય કાયદાનું પાલન કરતા નાગરિકો ખતરનાક રસ્તો કેમ અપનાવે છે જે તેમને કાયદાની ખોટી બાજુએ મૂકી શકે છે?  કૌશિક કહે છે, “કરદાતાઓને લાગે છે કે તેઓ જે ટેક્સ ચૂકવે છે તેના બદલામાં તેઓને કંઈ મળતું નથી. તેઓ ધારણાનો ઉપયોગ કરચોરી માટેના સમર્થન તરીકે કરે છે,” કૌશિક કહે છે.  અમારા સર્વેમાં ત્રણમાંથી બે ઉત્તરદાતાઓ માનતા હતા કે પ્રામાણિક લોકો વધુ કર ચૂકવે છે, જ્યારે પાંચમાંથી એક ઉત્તરદાતાનું માનવું છે કે કર અધિકારીઓ અપ્રમાણિક લોકો પ્રત્યે હળવાશ અનુભવે છે.  વચગાળાના બજેટમાં કરદાતા દીઠ ₹1 લાખ સુધીની તમામ ટેક્સ ડિમાન્ડ નોટિસને સંપૂર્ણપણે માફ કરવાની જાહેરાત દ્વારા આની પુષ્ટિ થઈ હતી.

કરદાતાઓની પણ બેદરકારી

હાલ ભારતમાં જે કરની સિસ્ટમ છે તે પછી આવકવેરાની હોય કે જીએસટીની હોય તેમાં મહત્વનું પણ છે કે કરદાતાઓની બેદરકારી પણ એટલી કારણભૂત છે કરચોરી માટે. કારણકે હાલ જે કરચોરી થતી હોય તેનું સૌથી મોટું કારણ છે કે અત્યારે જે કરદાતા છે તે મહત્તમ લાભ લેવા માંગે છે અને જ્યારે કોઈ ડિમાન્ડ નોટિસ આવે અથવા તો રિકવરી થાય તે સમયે સેટલમેન્ટ કરી લેવાનો જે હાલ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે

તેનાથી લોકો એટલે કે કરદાતાઓ નીસફિકર બન્યા છે. કારણકે કરદાતાઓને ખ્યાલ છે કે અધિકારીઓ સાથે કરવામાં આવેલું સેટલમેન્ટ તેમના માટે ઉપયોગી નિવડશે જેથી પેક ચોરી કરવામાં તે સહેજ પણ અચકાતા નથી અને પરિણામ સ્વરૂપે સરકારને ખૂબ મોટી નુકસાની પણ થાય છે.

શું બધા કરતા બેઈમાન છે ?

હાલ જે રીતે કરચોરીનું પ્રમાણ અને સેન્ટ્રલ જીએસટી હોય કે પછી આવકવેરા વિભાગ દ્વારા જે તવાઈ બોલાવવામાં આવે છે તે વાતને ધ્યાને લઈ ઘણા ખરા કરદાતાઓ બેયમાની તરફ આગળ વધ્યા છે. હાલ વિભાગ દ્વારા જે કડક પગલાં લેવામાં આવે છે તેનાથી 10% લોકો જેડા છે તેનો લાભ લે છે અને ગેરરિતી આચરે છે. ત્યારે જરૂરી છે કે આવકવેરા વિભાગ હોય કે જીએસટી વિભાગ તમામે બેયમાની ઉપર કઈ રીતે અંકુશ લાદી શકાય ના પ્રકારના કરદાતાઓને કઈ રીતે દંડિત કરી શકાય તે માટેની પ્રક્રિયા હાથ ધરવી જોઈ નહીં કે કોઈ એવા પગલાં લેવામાં આવે કે જેનાથી જે પ્રામાણિક કરદાતાઓ છે તેમને કોઈ તકલીફ પડે. તો સ્પષ્ટ છે કે બધા કરતાં બેઈમાન હોતા નથી પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લઈ કે જે રીતે કલચોરીનું પ્રમાણ સામે આવી રહ્યું છે તે જોતા વાત તો સ્પષ્ટ છે કે બેઈમાની તો થાય છે.

 શું બધા કરદાતા ચોર છે ?

હાલ દેશમાં આવકવેરા વિભાગની ચોરી હોય કે જીએસટી વિભાગની ચોરી હોય મહત્વનું તો છે કે શું બધા કરતા ચોર છે તો જવાબ આવે ના કારણ કે દરેક કરદાતા એવું જીતતા હોય કે તે કોઈ પણ પ્રકારના લીટીગેશનમાં ફસાય અને તેમના પર એક પણ પ્રકારની નોટિસો આવે. તું જે ભ્રષ્ટ કરદાતાઓ છે કે જે સેટિંગ કરીને આગળ વધે છે તેના પરિણામ સ્વરૂપે હવે જે પ્રમાણિત કરદાતાઓ છે તેને ઘણી તકલીફો વેઠવી પડે છે. બીજી તરફ ઓનલાઇન થઇ જતા જે પણ પરદાતા કર ચોરી કરતા હોય તેની સંપૂર્ણ માહિતી વિભાગ પાસે હોય છે અને તેના પરથી તે આકરા પગલાં પણ લે છે. પગલા લેવાથી પ્રામાણિક કરતાઓને પણ ઘણી તકલીફ થાય છે એટલે કહી શકાય કે સૂકા પાછળ લીલું પણ જીએસટીમાં બળે છે. પ્રમાણિક કરદાતાઓ ભારતમાં 65% થી વધુ છે કે જે નિયમિત તેનો કર અથવા તો રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા હોય તે પરિપૂર્ણ કરે છે.

પોલીસીમાં કયા મુદ્દે બદલાવ લાવવો જોઈએ

પોલીસીમાં પણ સરકારે બદલાવ કરવો જરૂરી છે કારણ કે હાલ જે જીએસટી અને આવકવેરા વિભાગમાં જે અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે તેઓ સહેજ પણ જવાબદારી લેવા માટે તૈયાર થતા નથી તેમના દ્વારા જે કેસ ડ્રોપઆઉટ થઈ શકતો હોય તે પ્રકારના કેસોને પણ અપીલમાં લઈ જવા માટે કરદાતાઓને આગ્રહ કરતાં હોય છે જે ખરા અર્થમાં કરદાતાઓ ને હેરાન કરવાની વૃત્તિ છે. જો અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવામાં આવે તો જે બર્ડન ઉભું થઈ રહ્યું છે તે પણ ઘટશે. બીજી તરફ સ્ટેટ જીએસટી હોય સેન્ટ્રલ જીએસટી હોય કે આવકવેરા વિભાગ હોય તમામે કરદાતાઓને જે રીતે શોપોઝ નોટિસની બજવણી કરે છે તેનાથી ખરા અર્થમાં હેરાનગતિ કરદાતાઓએ વેચવી પડે છે અને સરકારી આવકને પણ ખાંસી એવી નુકસાની પહોંચે છે. ટેક્સ તજજ્ઞોનું માનવું છે કે હાલ સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીમાં જેથી કાર્યો ફરજ બજાવી રહ્યા છે તેમની પાસે પૂરતી ટ્રેનિંગ હોવાના કારણે જટિલ કિસ્સામાં કઈ રીતે નિર્ણય લેવો તે તેમને ખ્યાલ હોતો નથી અને તમામ કાર્યો અધરતાલ રહે છે.

કરદાતાઓને પણ સતત હેરાનગતિનો કરવો પડે છે સામનો

આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ પણ તકેદારી રાખવાની જરૂરિયાત છે જ્યારે તેમના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા હોય તો કરદાતાઓને જે રીતે પૂછપરછ થવી જોઈએ તે થતી નથી ઊલટું તેમની સાથેનો જે વ્યવહારો હોય તે આરોપી જેવો કરવામાં આવે છે જે ખરા અર્થમાં ખોટું છે. આવકવેરા વિભાગ હોય કે જીએસટી વિભાગ હોય તેના એક પણ મેન્યુઅલમાં પ્રકારની વાત નથી કે જે સર્ચ ચોપરેશન દરમિયાન કરદાતાઓને હેરાન કરવામાં આવે. સાથો સાથ અધિકારીઓ પાસે પૂરતી માહિતી હોવાથી પણ લોકો એનકેન પ્રકારે હેરાન થતા હોય છે. અમે ઘણા ખરા એવા કેસ ઊભા કરવામાં આવે છે કે જેનો નિકાલ તો આવવો ખાસો દૂર હોય અને સામે તેઓને ધંધામાં પણ ભારે નુકસાની વેઠવી પડતી હોય. તમામ મુદ્દાઓ પર ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો પણ કરદાતાઓની સંખ્યા વધી શકે અને સરકારને જે આવકમાં નુકસાની થઈ રહી છે તેની પણ ભરપાઈ થાય.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.