Abtak Media Google News

એવા કેટલાંક હેલ્ધી ફુડ જે વજન વધારવામાં થાય છે મદદરૂપ

યોગ્ય આહાર તંદુરસ્ત રહેવાનો માર્ગ છે! તંદુરસ્ત આહાર લીધા બાદ, તમે ક્યારેક વિચાર્યું છે કે તમારું વજન પણ ગુમાવી રહ્યા છો? હાલના સમયમાં દરેક લોકોને વજન વધારવાની અથવા ઘટાડવાની સમસ્યા સતાવી રહી હોય તે સામાન્ય વાત બની ચૂકી છે. આપણાં ભારત દેશમાં ઘણા લોકો એવા છે જે કૂપોષણના શિકાર બની ચૂક્યા હોય છે. અને ઘણા લોકો મેદસ્વીતાપણાથી પીડાય રહ્યા હોય છે. ત્યારે ખાસ કરીને જ્યારે લોકો વજન ઘટાડવાના પ્રયત્ન કરવામાં પોતાનો વજન ઘટે છે કે નથી ઘટતો તે જોતાં નથી બસ વજન ઘટાડવામાં જ લાગેલા રહે છે. પણ આજે આપણે જાણીશું એવા ફૂડ વિશે જે ફૂડ વજન ઘટાડો રોકવામાં મદદ રૂપ થશે.

mango 300x199 1

1 ટ્રોપીકલ ફ્રુટ્સ

જ્યારે વજન ઘટાડવો હોય ત્યારે ફળો નાસ્તા માટે શ્રેષ્ઠ છે. જો કે, વજન ઘટાડવાના કિસ્સામાં, કેરી અને અનાનસ જેવા ઉષ્ણકટિબંધીય ફળો નાસ્તા માટે આદર્શ વિકલ્પ નથી. તેઓ ચોક્કસપણે સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેમાં છૂપી કેલરી તમારો વજન વધારશે નહીં. તેથી આ ફળોને મધ્યસ્થતામાં ઉપયોગમાં લેવા.

Mysteries of Honey 2 1 1 300x200 1

2 મધ

જ્યારે તમે તંદુરસ્ત ખોરાક પર સ્વિચ કરો છો, ત્યારે ખાસ કરીને વજન ઘટાડવા માટે મધ એ તમારા મનમાં પ્રથમ મીઠાસ છે. પરંતુ જો આપણે કહીએ કે મધ તમને વધુ વજન ગુમાવવાથી અટકાવી શકે છે તો તમે માનસો? મધમાં વિરોધી ફંગલ અને એન્ટિ બેક્ટેરિયલ ગુણધર્મો ઉપલબ્ધ છે. તેથી તમારે મીઠી હિટ મેળવવા માટે તેની એક અથવા બે ચમચી લેવી અને તે તમારા વજનને અસર પણ નહીં કરે.

xpeanuts help weight loss 1.jpg.pagespeed.ic .Y0dHL2Kfaq 300x215 1


3 પીનટ બટર

પિનટ બટર હેલ્ધી છે, પરંતુ દિવસના અંતે તે ચરબી પેદા કરે છે. પિનટ બટરની એક ચમચી તમારા શરીરમાં 200 કેટલી ઉમેરે છે. પણ બજારમાં મળતું પિનટ બટર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કેમ કે તેમાં અલગથી ખાંડ ઉમરવામાં આવે છે. પરંતુ તમે જો પીનટ બટર ખાવામાં લેવા માંગતા હોય તો તમારે હેલ્ધી હોય તેવું પસંદ કરવું જરૂરી છે.

Homemade dahi recipe1 300x200 1

4 દહી

ડેરી ઉત્પાદનોમાં દહી પ્રોટીન માટેનું મુખ્ય સ્ત્રોત ગણી શકાય દહી ભોજનમાં લેવાથી તમારા હાડકાં મજબૂત બને છે. પાચન તંત્રને ખોરાકના પાચનમાં મદદ મળે છે દહી ખાધા બાદ લાંબા સમય સુધી ભૂખ નથી લગતી પરિણામે વજન ઘટવા માંડે છે.  આ ઉપરાંત ડાહીમાં ફેટ પણ વધુ પ્રમાણમાં હોય છે જે વજન ઘટાડવામાં લાંબા ગાળે નુકશાન કરે છે. દરરોજ 2 ચમચી દહી લેવું સ્વસ્થ્ય માટે લાભદાયક છે.

14 benefits of walnut in Hindi 1024x682 300x200 1

5 અખરોટ

શરીર માટે સૌથી જરૂરી એવા વિટામિન ઇ સહિતના પોષક તત્વો અખરોટમાં હોય છે. આ ઉપરાંત આઇરોન પોટેસીયમ જિંક અને ઓમેગા 3 ફેટી એસિડનું પ્રમાણ પણ અખરોટમાં હોય છે. અખરોટમાં ફેટનું પ્રમાણ 50 થી 75 % હોવાના કારણે વજન વધે માટે જો વજન ઘટાડવાનું ઈચ્છતા હોય તો અખરોટને ઓછી માત્રમાં આરોગવા જોઈએ

coconut copy 300x185 1

6 કોકોનેટ

ઓઇલ, પાણી, દૂધ અને ક્રીમ જેવા તત્વો કોકકોનેટમાં ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. કોકોનેટનો ઉપયોગ પાચન ક્રિયા વધુ શક્રીય રાખે છે. આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. કોકનેટમાં રહેલું લોરીક એસિડ સ્વસ્થ્ય માટે ફાઇદાકારક છે પરંતુ કોકનેટનું ફેટ વજન વધારા માટે જવાબદાર બને છે માટે વજન ઘટાડવા ડાઈટિંગ પર હોવ ત્યારે કોકોનેટનો વધુ પડતો આહાર ટાળવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.