- વિશ્વકર્મા સમાજના પરંપરાગત રીતે કામ કરતા કારીગરોને આર્થિક રીતે સધ્ધર બનાવી પરંપરાગત વ્યવસાયો પ્રોત્સાહન આપવું એ જ અમારો નિર્ધાર : લધુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લાખો કારીગરો માટે શરૂ કરેલ વિશ્વકર્મા યોજના દેશવાસીઓ માટે આશીર્વાદ રૂપ
- રાજ્યના 37,785 લાભાર્થીઓને રૂપિયા 341 કરોડની લોન મંજુર : 25,762 લાભાર્થીને રૂપિયા 225 કરોડની સહાયનું વિતરણ
- ગુજરાતે લોન મંજૂરી અને વિતરણ બંનેમાં રાષ્ટ્રીય સ્તરે ત્રીજું સ્થાન મેળવ્યું
- વિશ્વકર્મા સમાજ દ્વારા તૈયાર કરાયેલ આર્ટીઝનને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરી મોદીજી વોકલ ફોર લોકલના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા
- વિધાનસભા ખાતે વિશ્વકર્મા યોજનાના બિનસરકારી સંકલ્પનો સ્વીકાર
લધુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા એ જણાવ્યું છે કે, વિશ્વકર્મા સમાજના પરંપરાગત રીતે કામ કરતા કારીગરોને આર્થિક રીતે સધ્ધર બનાવી પરંપરાગત વ્યવસાયો પ્રોત્સાહન આપવું એ જ અમારો નિર્ધાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લાખો કારીગરો માટે શરૂ કરેલ વિશ્વકર્મા યોજના દેશવાસીઓ માટે આશીર્વાદ રૂપ પુરવાર થઈ રહી છે. રાજ્યના 37,785 લાભાર્થીઓને આ યોજના માટે રૂપિયા 341 કરોડની લોન મંજુર કરી છે. જેમાં 25,762 લાભાર્થીને રૂપિયા 225 કરોડની સહાયનું વિતરણ કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે લોન મંજૂરી અને વિતરણ બંનેમાં રાષ્ટ્રીય સ્તરે ત્રીજું સ્થાન મેળવ્યું છે એ આપણા માટે ગૌરવ રૂપ છે.
વિધાનસભા ખાતે વિશ્વકર્મા યોજનાના બિન સરકારી સંકલ્પની ચર્ચામાં સહભાગી થતા લધુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી વિશ્વકર્માં એ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરાગત કારીગરોને પ્રોત્સાહિત કરીને આવા ઉદ્યોગ ટકીને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થાય એ માટે દેશભરમાં વિશ્વકર્મા જયંતીના દિવસે વિશ્વકર્મા યોજના રાષ્ટ્રને સમર્પિત કરી છે. જેમાં પરંપરાગત રીતે કામ કરતા કારીગરોને હેન્ડ ટુ હેન્ડ સહાય પૂરી પાડવામાં આવે છે.
મંત્રીએ ઉમેર્યું કે, અંગ્રેજો દ્વારા હાવડા નદીના નિર્માણનું કામ 17 સપ્ટેમ્બરના દિવસે વિશ્વકર્મા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારથી આ દિવસને વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે ઓળખાય છે. આજે આપણે કોમ્પયુટરની સાથે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ યુગ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે પેઈન્ટર, કડીયા, કુંભાર, દરજી, મોચી, વાળંદ,ધોબી, સુથાર, માળી, સોની, મૂર્તિકાર, રમકડા-ઢીંગલી બનાવનાર, બખતર બનાવનાર, લુહાર, ભજન કિર્તનના સાધન બનાવનાર જેવા વિશ્વકર્મા સમાજના વ્યવસાયકારોને પ્રોત્સાહિત કરીને આપણી કલા – પરંપરા અને તેમાંથી પ્રાપ્ત થતી રોજગારીની ચિંતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કરી પી.એમ. વિશ્વકર્મા યોજનાની ભેટ આપી છે. એ આપણા માટે ગૌરવ રૂપ છે.
મંત્રીએ પીએમ વિશ્વકર્મા યોજનાનો હેતુ સ્પષ્ટ કરતા કહ્યુ કે,કારીગરોમાં સર્જન શક્તિ વધારી તેમને આર્થિક રીતે પગભર કરવાનો છે. કારીગરના સશક્તિકરણ માટે આ યોજના મહત્ત્વપૂર્ણ સાબિત થશે.ભારતના સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરવા અને આવનારી પેઢીઓ માટે તેની જાળવણી નો આ સંકલ્પ છે.આ યોજનાનો હેતુ ડિજિટલ સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાનો છે.
તેમણે ઉમેર્યું કે, આ યોજનાને પરિણામે લગભગ દેશના લાખો પરિવારોને આ યોજનાનો લાભ મળશે. સફળ રજિસ્ટ્રેશન બાદ લાભાર્થીને પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ. કૌશલ્ય ચકાસણી પછી, લાભાર્થીઓને ઈ-વાઉચર સ્વરૂપે રૂ.15,000/- ની ટૂલકિટનો લાભ. લાભાર્થીઓને દૈનિક રૂ.500/- ના સ્ટાઈપન્ડ સાથે બેઝિક કૌશલ્ય તાલીમ અપાય છે. બેઝિક કૌશલ્ય તાલીમ બાદ લાભાર્થીને 18 મહિનાની મુદત સાથે રૂ.1 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન 5% ના રાહત દરે મળવા પાત્ર છે. જે કુશળ લાભાર્થીઓ સ્ટાન્ડર્ડ લોન એકાઉન્ટ જાળવશે અને જેમણે ડિજિટલ વ્યવહારો અપનાવ્યા છે અથવા એડવાન્સ કૌશલ્ય તાલીમ લીધી છે, તેઓ 30 મહિનાના સમયગાળા સાથે ₹2 લાખ સુધીની બીજી લોન એ પણ 5% ના રાહત દરે મળવા પાત્ર છે.
કારીગરો ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઇન્સેન્ટિવ્સ દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન દીઠ રૂ. 1, દર મહિને 100 વ્યવહારોની મહત્તમ મર્યાદા સુધી આપવામાં આવશે.
રજીસ્ટ્રેશન ગુજરાતમાં કુલ 14,287 (100%) ગ્રામ પંચાયતોમાં સરપંચશ્રી ઓનું લોગીન કાર્ય પૂર્ણ થયું છે. ગુજરાત સરકારે PM વિશ્વકર્મા યોજના અંતર્ગત 15,05,192 લાભાર્થીઓની નોંધણી સફળતાપૂર્વક કરી છે. કુલ 1,72,923 લાભાર્થીઓને 295 તાલીમ કેન્દ્રો મારફતે 18 પરંપરાગત વ્યવસાયોને આવરી લેતી કૌશલ્ય તાલીમ આપવામાં આવી છે. ગુજરાતે કૌશલ્ય તાલીમ પ્રદાન કરવામાં રાષ્ટ્રીય સ્તરે ચોથું સ્થાન મેળવ્યું છે.
આ યોજના અંતર્ગત ગુજરાતમાં ₹341 કરોડની કુલ 37,785 લાભાર્થીઓની લોન મંજુર કરવામાં આવી છે. તેમાંથી ₹225 કરોડની રકમ 25,762 લાભાર્થીઓને વિતરણ કરવામાં આવી છે. ગુજરાતે લોન મંજૂરી અને વિતરણ બંનેમાં રાષ્ટ્રીય સ્તરે ત્રીજું સ્થાન મેળવ્યું છે,
મંત્રીએ કહ્યું કે, વિશ્વકર્મા સમાજ પેન થી લઇ પ્લેન બનાવવામાં પોતાનું યોગદાન આપે છે આધુનિક યુગનો વિશ્વકર્મા સમાજનો દીકરો ડિફેન્સ સેક્ટર હોય કે ફેશન ટેક્નોલોજી ક્ષેત્રે અનેરૂ યોગદાન આપ્યું છે ત્યારે દેશ વિદેશના મહેમાનોને મળવાનું થાય કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને વિદેશ મુલાકાત હોય એ સમયે જે આર્ટીજનની વસ્તુ દ્વારા સ્વાગત કરવામાં આવે છે તે પણ વિશ્વકર્મા સમાજ દ્વારા તૈયાર કરેલ હોય છે જેના પરિણામે મોદીજી વોકલ ફોર લોકલના બ્રાન્ડ એમ્બેસેડર વિશ્વભરમાં પ્રસ્થાપિત થયા છે.
તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનના માર્ગદર્શન માં અમૃતકાળમાં ભારતનું અર્થતંત્ર મજબૂત બન્યું છે. ભારત હવે 10માં નંબરથી ઉપર આવીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. આગામી પાંચ વર્ષમાં વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે જેના પરિણામે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થવાનો છે.
વિશ્વની મોટી-મોટી કંપનીઓ આવીને વિશ્વકર્મા સમાજના બારણે ટકોરા મારે, તે ક્ષમતા વિશ્વકર્મા સમાજની અંદર લાવવા માગીએ છીએ. આપણા વિશ્વકર્મા મિત્રો ‘મેક ઇન ઇન્ડિયા’ની શાન છે. આપણો ઉદેશ આજના વિશ્વકર્મા સાથીઓને આવતીકાલના મોટા એન્ટરપ્રિનિયોર બનાવવાનું છે. તેના માટે તેમના બિઝનેસ મોડલમાં સ્થાયિત્વ જરૂરી છે. કોઈપણ મોટી વસ્તુ ખરીદો, જેમાં આપણા વિશ્વકર્મા મિત્રોની છાપ હોય, ભારતની માટી અને પરસેવાની મહેક હોય.
મંત્રીએ કહ્યુ કે, અમારી સરકાર હંમેશા લોકોની પડખે રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનામુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલી વિકાસની રાજનીતિના બે દાયકાના ફળ આપણે સૌ ચાખી રહ્યા છીએ. તેમણે ગુજરાતમાં રોજગારી આપવા અને ઉદ્યોગોના વિકાસ સાથે લોકોને ધંધા રોજગાર આપવા માટેનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર આગળ ધપાવી રહી છે.
PM વિશ્વકર્મા યોજના દ્વારા પરંપરાગત કારીગરોના જીવનમાં આર્થિક ઉત્કર્ષ,કિસાનોને PM સન્માન નિધી અંતર્ગત સાચુ સન્માન, અન્નદાતાને ઉર્જાદાતા બનાવવાનું કામ
ઘરનું ઘર, ઘરે ઘરે પહોંચ્યું “નળથી જળ સ્વચ્છ પાણી”,ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને LPG સિલિન્ડર આપવા,નારી શક્તિ વંદન અધિનિયમ અંતર્ગત મહિલાઓને સાચુ સન્માન, કોઈ નાગરીક ભૂખ્યોના સુવે તે માટે વિના મૂલ્યે અનાજનું વિતરણ, આયુષ્યમાન ભારત યોજના દ્વારા દેશના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા,પ્રધાનમંત્રી મુદ્રા યોજના દ્વારા ઉદ્યોગ સાહસિકોને લોન આપવી, દેશના 25 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્યા, વિશ્વમાં ભારતના અર્થતંત્રને પાંચમા નંબરે પહોંચાડી ત્રીજા નંબરે પહોંચા ડવાની કટીબધ્ધતા, ડીજીટલ ઈન્ડીયાનું સ્વપ્ન થયું સાકાર, Make in India બનાવવાનો સંકલ્પ, “વોકલ ટુ લોકલ” નો સંકલ્પ ચરિતાર્થ થવો ,“એક દેશ મે દો વિધાન, દો નિશાન ઔર દો પ્રધાન નહીં ચલેંગે નહીં ચલેંગે” કલમ 370 દૂર કરી – દેશને એક કરવાનું કામ, આતંકવાદ મુક્ત ભારત, ન્યુ એજ્યુકેશન પોલીસી દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં નવીનતા લાવવી, ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકો સીસ્ટમ બનાવવી ,કરોડો હિન્દુઓની આસ્થા સમાન ભવ્ય રામ મંદિરનું નિર્માણ બનાવીને વિકસીત ભારતના નિર્માણ તરફ ડગ માંડ્યા છે.
ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ સાથે વિશ્વકર્મા સમાજની પ્રગતિ સાથે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર થકી શ્રેષ્ઠ અને દિવ્ય ભારતના નિર્માણમાં આપણે સૌ સમર્પિત થઈએ તેમ તેમણે ઉમેર્યુ હતું.
વિધાનસભા ખાતે આજે વિશ્વકર્મા યોજનાના બિનસરકારી સંકલ્પનો સ્વીકાર કરાયો હતો.