Kutchh:સુમરાસર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય કાર્યક્રમ અંતર્ગત બનેલા જળ રિચાર્જ બોરનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા જનભાગીદારીથી જિલ્લાભરમાં બનાવાતા જળ રિચાર્જ બોરની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમજ  જળશક્તિ મંત્રીએ રિચાર્જ બોર બનાવનાર 5 ખેડૂતોનું સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે  જળશક્તિ મંત્રીએ કચ્છમાં જળસંચય કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભજળ ઉંચા લાવવા માટે કરાતા સહિયારા પ્રયાસોને બિરદાવ્યા હતા.

7

આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, આગેવાનો  દેવજી વરચંદ, ધવલ આચાર્ય, દામજી ચાડ, વિરમ ચાડ, રણછોડ આહિર, આદમ શેખ, ભાણા મહેશ્વરી, હરેશ રાઠોડ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

23

નવીનગીરી ગોસ્વામી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.