કોરોના વાયરસ મહામારી ફેલાયેલા હોય જેથી ભારત સરકાર દ્વારા કોરોના વાયરસને અટકાવવા માટે અનલોક-૪ તા.૧-૯-૨૦થી ૩૦-૯-૨૦ સુધી જાહેર કરવામાં આવેલુ છે. જે અનલોક-૪ સમય દરમ્યાન સરકાર દ્વારા ઘણી છુટછાટ આપવામાં આવેલી અને જે નિયમો મુજબ છુટછાટ આપેલ હોય જેથી લોકો પોતાના જાહેર જીવનમા બેદરકારી દાખવે નહીં નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસની મહત્વની ફરજ રહેલી હતી. જે દરમ્યાન શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોગ્ય બંદોબસ્ત, પેટ્રોલીંગ જાળવવામાં આવેલ તેમજ સરકાર દ્વારા અનલોક-૪ દરમ્યાન જાહેર કરવામા આવેલ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામા આવેલ તેમજ જાહેર જનતાએ લોકડાઉન અને અનલોક-૪ દરમિયાન પોલીસને ખુબ જ સાથ સહકાર આપેલો છે. જેથી રાજકોટ શહેરની જનતાનો શહેર પોલીસ તથા તંત્ર આભાર માને છે. અને ભવિષ્યમાં પણ આ મહામારી સામે લડવામાં જનતાને શહેર પોલીસને તથા તંત્ર તે સહયોગ આપે તેવી અપીલ કરી છે. સાથો સાથ જાહેરનામા ભંગના કુલ કેસો-૧૩૩૬, વાહન ડીટેઇન-૧૭૫૭ અને જાહેરમા માસ્ક નહી પહેરવા અને જાહેરનાર ૨૩૩૧૦ લોકો પાસેથી રૂ.૨.૧૨ કરોડના દંડ વસુલ્યો છે.
Trending
- જામનગરથી દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરશે અનંત અંબાણી..!
- જાદુઈ ચશ્માંના વળગણમાં સગીર ભાણેજને વેચવા નિકળેલા શકુની મામાને ઝડપી લેવાયો
- Gir Somnath : પાણી માટે ઉત્તમ કામગીરી કરનાર મહિલા સભ્યોને રૂ.50,000ની ઈનામી રાશિથી સન્માનિત કરાઈ
- ઓલિમ્પિકની યજમાની ગુજરાતની સાથે સાથે ગોવા, એમપી, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં પણ રમતો રમાશે
- ગુજરાતીઓની “ચરબી” ઉતારવા સ્ટીયરિંગ કમિટીની રચના
- જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- ખેડુતોના લાંબા સમયથી પેન્ડીંગ પ્રશ્ર્નોનો તત્કાલ નિવેડો લાવવા મુખ્યમંત્રીની તાકીદ
- ભાજપમાં સંકલનનો સત્યાનાશ: જૂથવાદ-વિખવાદ ચરમસીમાએ