Abtak Media Google News

કેન્દ્રિય ગૃહમંત્રી   અમિતભાઈ શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મહાદેવના દર્શન કરી ગૃહમંત્રીએ પરિવાર સહિત ધ્વજા પૂજા કરી હતી.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રીનું મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ સોમનાથ મંદિરના પંડિતો અને ઋષિકુમારોના શ્લોકોચ્ચાર વચ્ચે ગૃહમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને સોમનાથ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા-અર્ચના કરી હતી.

આ તકે સાંસદ   રાજેશભાઈ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી   જે.ડી. પરમાર, સેક્રેટરી   યોગેન્દ્ર દેસાઈ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર  વિજયસિંહ ચાવડા સહિત ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્ર પીઠિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

  • ગૃહમંત્રીનું સોમનાથ હેલીપેડ પર પૂર્વ મંત્રી જશભાઈ બારડે કર્યુ સ્વાગત

દેવાધી દેવ મહાદેવ ભગવાન સોમનાથના દર્શન અર્થે   કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું સોમનાથ હેલિપેડ પર  પૂર્વ કેબિનેટ મંત્રી  જશાભાઈ બારડ સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.