- સુરક્ષા કર્મચારીઓએ એન્કાઉન્ટર સ્થળ પરથી એકે-47 રાઇફલ સહિત અન્ય હથિયારો, દારૂગોળો અને નક્સલી સામગ્રી પણ જપ્ત કરી
છત્તીસગઢના કોંડાગાંવ અને નારાયણપુર જિલ્લાની સરહદે આવેલા કિલમ-બરગુમ વિસ્તારના જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું, જેમાં પૂર્વ બસ્તર ડિવિઝનના બે વોન્ટેડ નક્સલવાદી કમાન્ડર માર્યા ગયા. આ એન્કાઉન્ટર 15 એપ્રિલના રોજ થયું હતું, જેમાં સુરક્ષા દળોએ ડીવીસીએમ હલદર અને એસીએમ રામેને મારીને મોટી સફળતા મેળવી હતી.
સુરક્ષા દળોએ ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને નક્સલીઓ પર કુલ 13 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં હલદર પર 8 લાખ અને રામે પર 5 લાખનું ઇનામ હતું. સુરક્ષા કર્મચારીઓએ એન્કાઉન્ટર સ્થળ પરથી એકે-47 રાઇફલ સહિત અન્ય હથિયારો, દારૂગોળો અને નક્સલી સામગ્રી પણ જપ્ત કરી છે.
કોંડાગાંવ ડીઆરજી અને બસ્તર ફાઇટર્સની સંયુક્ત ટીમે આ કામગીરી હાથ ધરી હતી. આ વિસ્તારમાં નક્સલી ગતિવિધિઓના અહેવાલો બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સુરક્ષા દળો વિસ્તારમાં પ્રવેશતાની સાથે જ નક્સલીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. જવાબી કાર્યવાહીમાં, સુરક્ષા દળોએ બંને નક્સલી કમાન્ડરોને ઠાર માર્યા છે.સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે.