• છત્તીસગઢની દુર્ઘટના
  • બંધ ઘરમાં અઠવાડિયા સુધી તાંત્રિક મંત્ર જાપના આવતા અવાજો બંધ થઈ જતા પાડોશીઓએ તપાસ કરતા બે ભાઈઓના મૃતદેહ અને પરિવારજનો બેભાન મળી આવ્યા

આધુનિક વિજ્ઞાન ટેકનોલોજી ના યુગમાં હજુ લોકો અંધશ્રદ્ધામાં માત્ર જીવતા જ નથી પરંતુ મૃત્યુ સુધીનું જોખમ વોહરી લે છે, છત્તીસગઢના શક્તિ જિલ્લાના એક ગામડામાં અઠવાડિયા સુધી તાંત્રિક વિધિ બાદ બે સગા ભાઈઓના મોત ઓને પરિવારના અન્ય ચાર સભ્યો ગંભીર હાલતમાં મળી આવતા દવાખાને ખસેડવામાં આવ્યા હતા જયા તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું.

રાયપુર થી 200 કિલોમીટર દૂર આવેલા બરદ્વાર વિસ્તારના શક્તિ ગામમાં રહેતા એક પરિવારના બંધ મકાનમાં થી અઠવાડિયા સુધી તાંત્રિક મંત્ર જાપના અવાજ આવતા હતા ..જે બંધ થઈ ગયા બાદ પડોશીઓએ દરવાજા માંથી ડોકિયું કરતા ઘરમાં વિકી ઉંમર વર્ષ 19 અને વિક્રમ 21 ના મૂર્તદેહ મળી આવ્યા હતા જ્યારે પરિવારના અન્ય સભ્યો યુવાનોની માતા પ્રીતિબાઈ (70) બહેન ચંદ્રિકા (27)અમરિકા (25) નાનો ભાઈ વિશાલ (18) ગંભીર હાલતમાં મળી આવ્યા હતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચારેય સભ્યો ગંભીર હોવાનું જાણવા મળ્યું છે બેભાન અવસ્થામાં બંને બહેનો એવું રટણ કરતી હતી કે તેમના ઘરમાં કંઈક કાળી વસ્તુ આવીને તેમના શરીરમાં પ્રવેશી ગઈ હતી .બંને ભાઈઓના પોસ્ટમોર્ટમમાં શરીરમાંથી ઝેર ના અવશેષો મળ્યા હતા પાડોશીઓના કહેવા મુજબ આ પરિવાર સાત દિવસથી ઉપવાસ કરતા હતા .અને ઘરની બહાર કોઈ નીકળ્યું ન હતું .ઘરમાંથી તાંત્રિક વિધિ ના સ્લોક નો અવાજ આવતો હતો. શુક્રવારે અવાજ શાંત પડી જતા પાડોશીઓએ તપાસ કરતા બે ભાઈઓ મૂર્ત હાલતમાં મળી આવ્યા હતા. આંખો પરિવાર અર્ધ બેભાન અવસ્થામાં બંને ભાઈઓના મૃતદેહો પાસે બેઠો હતો અને કોઈ દેવના ફોટા ની પૂજા કરતા હતા પડોશીઓને જાણ થતા તાત્કાલિક તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસે તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા આમ તાંત્રિક વિધિ કરવા જતા બંને સગા ભાઈઓના મોતની પદ્યાની કરણ ઘટના ભારે ચર્ચાસ્પદ બની હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.