આઈ.પી.એસ.ની બદલી પહેલા સબ ઈન્સ્પેકટરોની બદલીનો ઘાણવો નિકળ્યો

રાજયમાં આઈ.એ.એસ. અને જી.એ.એસ.  કેડરના  અધિકારી બાદ આઈ.પી.એસ. અધિકારીની બદલીના ભણકારા વચ્ચે રાજયનાં પોલીસ વડા દ્વારા ગત મોડી સાંજે 77 જેટલા પીએસઆઈની બદલીના હુકમ કર્યા છે.જેમાં રાજકોટ શહેરના ધાંધલ્યા ધર્મિષ્ઠા બહેન, બરવાડીયા હેતલબેન, રાઠોડ રાજેશ કુમાર, ગ્રામ્યના ભોજાણી રાણાભાઈની અન્ય જિલ્લામાં જયારે ગ્રામ્યના વાછાણી ચેતનાબેન સહિત બે ફોજદાર નિમણુંક આપવામાં આવી છે.

વધુ વીગત મુજબ રાજયના પોલીસવડા દ્વારા મોડી સાંજે 77 જેટલા પીએસઆઇની બદલીના હુકમ કર્યા છે. જેમાં દેવભુમી દ્વારકા ખાતે ફરજ બજાવતા સી.બી. જાડેજાને આઇબીમાં, બોટાદના પ્રજાપતી રમેશકુમારને વલસાડ, રાજકોટ ગ્રામ્યના ભોજાણી રાણાભાઇને ગીર સોમનાથ, જુનાગઢના સોલંકી વીરેન્દ્રસીંહને ગીર સોમનાથ ખાતે, ભુજ ખાતે ફરજ બજાવતા રાણા સીધ્ધરાજસીંહને રાજકોટ ગ્રામ્યમાં, સુરેન્દ્રનગરના રબારી હેતલબેનને ખેડા, દેવભુમીના જાડેજા પ્રદીપસીંહને અમરેલી, ભુજના જાડેજા જગદીપસીંહને ભરુચ, દ્વારકાના પરમાર અજયસીંહને આઇબીમાં, સુરેન્દ્રનગરના ગોહીલ રામદેવસીંહને રાજકોટ ગ્રામ્ય, જુનાગઢના મહેતા રાજેન્દ્રકુમારને વલસાડ, ગાંધીધામના લાંબરીયા વીરમભાઇને વડોદરા ગ્રામ્ય, ભાવનગરના મકવાણા ચેતનકુમારને દેવભુમી દ્વારકા, રાજકોટ શહેરના ધાંધલીયા ધર્મીષ્ઠાબેનને અમદાવાદ ગ્રામ્ય, ગીર સોમનાથના પરમાર કેતનને જુનાગઢ, અમરેલીના વાવૈયા સરોજબેનને ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્યના વાછાણી ચેતનાબેનને રાજકોટ શહેરમાં, સુરેન્દ્રનગરના સોનારા પુષ્પાબેનને અમદાવાદ શહેર, અમરેલી ગોહેલ માધુરીબેનને અમદાવાદ ગ્રામ્ય, ગાંધીધામના પટેલ હરીભાઇને મોરબી, રાજકોટ શહેરનાં બરવાડીયા હેતલબેનને જુનાગઢ, જુનાગઢના ડાકી વીરમભાઇને દેવભુમી દ્વારકા, ભાવનગરના સીસોદીયા શૈલેન્દ્રસીંહને જામનગર, જામનગરના ગોહીલ જયવંતસીંહને ભાવનગર, અમરેલીના ડોડીયા અલ્પાબેનને જુનાગઢ, રાજકોટ શહેરના રાઠોડ રાજેશકુમારને અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે.

જયારે ગાંધીનગરના સોલંકી મહાવીરસીંહને સુરેન્દ્રનગર, બનાસકાંઠાના વાજા જેસીંગભાઇને જુનાગઢ, ભરુચના વરે સુરેશરાવ ગીર સોમનાથ, અમદાવાદ શહેરના હુણ માંડાભાઇને રાજકોટ શહેર, અમદાવાદ શહેરના ધુમડ રણવીરસીંહને બોટાદ, અમદાવાદ શહેરના ગઢવી કુલદીપને જુનાગઢ ખાતે નીમણુંક આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.