તા. ૨૭. ૨.૨૦૨૫ , ગુરુવાર ,સંવંત ૨૦૮૧, મહા વદ અમાસ , ધનિષ્ઠા નક્ષત્ર ,શિવ યોગ, ચતુષ્પદ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આવકમાં મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને મધ્યમ રહે,નોકરિયાતને સારું રહે,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો,મિત્રોની મદદ મળી રહે ,પ્રગતિકારક દિવસ .
કર્ક (ડ,હ) : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ ટાળવી,પરેજી પાલવ સલાહ છે .
તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન .
વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.
મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી,સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.
કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
મીન (દ,ચ,ઝ,થ) : ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને,યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.
–વૃશ્ચિક રાશિ પરિવર્તન અને વીલ વારસાની બાબતો બતાવે છે
વૃશ્ચિક રાશિ નભોમંડળની આઠમી રાશિ છે જે પરિવર્તન અને વીલ વારસાની બાબતો બતાવે છે આઠમું સ્થાન મૃત્યુ અને મૃત્યુતુલ્ય ફટકાઓ પણ બતાવે છે. આઠમું સ્થાન અને વૃશ્ચિક રાશિ ગુપ્ત વિદ્યાઓ રહસ્ય શાસ્ત્રોની પણ છે અને વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરે છે કેટલાક કડક પાઠ પણ વ્યક્તિ આ દશામાં શીખે છે અથવા ત્યાં રહેલા ગ્રહો મુજબ શીખે છે. સ્મશાનભૂમિ જેવી જગ્યાઓ અહીં થી જોવાય છે તો જાતેના કમાયેલી સંપત્તિ પણ અહીં થી જોવામાં આવે છે.વારંવાર આવતા બ્રેક અને અંતરાયો પણ અહીંથી જોવાય છે. વૃશ્ચિક રાશિ બહુ ઊંડી રાશિ છે અને તેને ઝડપથી સમજી શકતી નથી જન્મકુંડળીમાં જ્યાં વૃશ્ચિક રાશિ હોય ત્યાં ઘણું સંતાયેલું હોવાની શક્યતા હોય છે. તેનો સ્વાભાવ ઊંડા કુવા જેવો હોય છે પાણીના પેટાળની બાબતો વૃશ્ચિક રાશિથી જોવામાં આવે છે. જન્મ મૃત્યુના ફેરા અને એ બાબતો વૃશ્ચિક રાશિથી જોવામાં આવે છે. તેનું તત્વ જળ છે. અલૌકિક બાબતો અને ઊંડું સંશોધન અચાનક અંતઃસ્ફુરણ પણ અહીં થી જોવાય છે. વ્યક્તિમાં રહેલી અલૌકિક તાકાત યુનિવર્સને સમજવાની ક્ષમતા પણ વૃશ્ચિક રાશિ આપે છે. વિધ્વંશ પણ વૃશ્ચિક રાશિથી જોવામાં આવે છે. વ્યક્તિ વારસામાં શું મેળવે છે તે પણ વૃશ્ચિક રાશિથી જોવાય છે. સેક્સ સ્કેન્ડલ અને તેને લગતી બાબતો પણ આઠમા સ્થાનથી જોવાય છે. વળી કેટલીક ના વર્ણવી શકાય તેવી બાબતો અને જીવનમાં અચાનક આવતા વળાંકો પણ વૃશ્ચિક રાશિ દર્શાવે છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨