તા ૧૬.૨.૨૦૨૫ , રવિવાર ,સંવંત ૨૦૮૧, મહા વદ ચોથ , હસ્ત નક્ષત્ર , દ્યુતિ યોગ, બવ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ,ઠ,ણ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.
વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
મિથુન (ક,છ,ઘ) : તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય,આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.
કર્ક (ડ,હ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,મિત્રોની મદદ મળી રહે.
સિંહ (મ,ટ) : તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો,સામી વ્યક્તિ પાસે થી કામ લઇ શકો ,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.
તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો .
વૃશ્ચિક (ન ,ય) : વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ) : નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય,ધંધા રોજગાર માં સારું રહે,પ્રગતિ થાય.
મકર (ખ,જ) : ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
કુંભ (ગ ,સ,શ) : ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.
મીન (દ,ચ,ઝ,થ): આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
–લગ્નેશ આઠમે બેસે તો વ્યક્તિને નકારાત્મક વિચારો કરાવે છે
લગ્નેશના વિવિધ ભાવમાં પરિણામ ની આપણે ચર્ચા કરી રહ્યા હતા. જો લગ્નેશ આઠમે બેસે તો વ્યક્તિને નકારાત્મક વિચારો કરાવે છે અને ક્યારેક આત્મઘાતી વિચાર પણ આવે છે અને જીવનમાં વારંવાર પરિવર્તન આવતા જોવા મળે છે તથા વ્યક્તિ ઊંડા વિચારોની ગર્તમાં ધકેલાતો જોવા મળે છે તો લગ્નેશ નવમે હોય તો જાતકને સારું ભાગ્યબળ આપે છે અને સમય મુજબ તમામ સુખ ઐશ્વર્ય આપનાર બને છે તથા વ્યક્તિ ભાગ્યશાળી સાબિત થાય છે અને દાન ધર્મથી તેના ગ્રહો સુધારી શકે છે વળી લગ્નેશ દશમે હોય તો જાતક કર્મઠ બને છે તથા તેનો જીવ કાર્યમાં વધુ પરોવાયેલા રહે છે અને તે કોઈ પણ કાર્યને પોતાની સુઝબુઝથી આગળ ધપાવી શકે છે અને જીવનમાં સારું પદ મેળવે છે એ જ રીતે લગ્નેશ અગિયારમે હોય ત્યારે જાતક જીવનમાં લાભ પ્રાપ્ત કરે છે અને તેને ઘણી વાર આકસ્મિત સહાય થતી હોય છે તથા બહોળું મિત્ર વર્તુળ હોય છે અને ભાઈ ભાંડુથી પણ લાભ મેળવે છે જયારે લગ્નેશ બારમે હોય ત્યારે જાતક જન્મસ્થળથી દૂર સુખી થતો હોય છે તથા ઘણીવાર બેધ્યાન બની જતો હોય છે અને તેને જીવનમાં વ્યય વધુ આવે છે તથા ક્યારેક એકાંતમાં રહેવાનું પણ જીવનમાં બનતું જોવા મળે છે. આમ જન્મકુંડળીમાં લગ્નેશ જ્યાં બેસે તે મુજબ ફળ આપે છે અને આ જ રીતે નાવંશમાં પણ લગ્નેશની સ્થિતિ જોવી જોઈએ જેનાથી સટીક ફળકથન કરી શકાય છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨