તા. ૨૮ ૨.૨૦૨૫ , શુક્રવાર ,સંવંત ૨૦૮૧, ફાગણ સુદ એકમ, શતતારા નક્ષત્ર , સિદ્ધ યોગ, કિંસ્તુઘ્ન કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ) : સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ) : તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ) : અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ) : લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય ,અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે!.
ધન (ધ,ભ,ફ,ઢ) : આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય , શુભ દિન.
મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે .
કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ) : સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
નભોમંડળની નવમી રાશિ ધનુ રાશિ છે જે ધર્મ દર્શાવે છે વ્યક્તિની આધ્યાત્મિકતા દર્શાવે છે વળી ઉચ્ચ શિક્ષણ પણ નવમાં ભાવ અને ધનુ રાશિથી જોવામાં આવે છે. ધનુ રાશિ ધાર્મિક બાબતો, મંદિર અને આસ્થા પણ દર્શાવે છે વળી ધનુ રાશિથી પિતા,ગુરુ , શિક્ષક, શિક્ષણને લગતી બાબતો જોવામાં આવે છે, ધનુ રાશિ યુદ્ધ પણ બતાવે છે લાંબા ગાળાના લક્ષ્ય બતાવે છે વળી ભાગ્ય અને ભાગ્યબળ પણ બતાવે છે. ધનુ રાશિ ત્રિકોણ રાશિ છે જે વ્યક્તિ ધર્મ માટે લડી શકશે કે કેમ તે પણ રજુ કરે છે વળી વ્યક્તિ ઉચ્ચ શિક્ષણથી કેટલી પ્રતિભા પ્રાપ્ત કરશે તે પણ દર્શાવે છે. ધનુ રાશિ યાત્રા વિદેશ પ્રવાસ અને જીવનમાં કેટલી નીતિમત્તાથી જીવશે તે પણ નક્કી કરે છે વળી ભાગ્ય તેને શું આપી શકશે તે પણ બતાવે છે ધનુ રાશિના સ્વામી ગુરુ મહારાજ છે માટે અહીંથી શુભ બાબતોનો નિર્દેશ પણ મળે છે. ધનુ રાશિ તકલીફમાં હોય કે ક્રૂર ગ્રહોની અસરમાં હોય ત્યારે વ્યક્તિને સાચા ગુરુ મળતા નથી પણ શુભ ગ્રહો સદ્ગુરુ સાથે મિલાન કરાવે છે વળી ધર્મથી જીવનમાં પરિવર્તન આપે છે અને વ્યક્તિ દરેક બાબતને સૂક્ષ્મતાથી સમજી શકે છે. ધનુ રાશિ બળવાન હોય ત્યારે વ્યક્તિની ઓરા ખુબ સારી હોય છે અને તેની સાથે રહેવાથી અન્ય વ્યક્તિનું પણ ભલું થતું હોય છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨