તા. ૭.૨.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦, પોષ વદ બારસ, પૂર્વાષાઢા  નક્ષત્ર, વજ્ર  યોગ , ગર  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,મહત્વના કાર્ય સ્વર બાજુ કરવા.

વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,દિવસ મધ્યમ રહે.

મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો,દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

કર્ક (ડ,હ)  : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે,અંગત લોકોમાં મતભેદ રહી શકે .

સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.

તુલા (ર,ત) :  નોકરિયાતવર્ગને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.

વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): મિત્રોની મદદ મળી રહે,કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.

મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.

મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે  ઠોસ કદમ ઉઠાવી શકો,આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.

શનિ મહારાજ લગભગ ૩૫ દિવસ માટે અસ્ત ના રહેશે

૧૨ ફેબ્રુઆરીથી શનિ મહારાજ અસ્તના થવા જઈ રહ્યા છે જેની વ્યાપક અસર દેશ અને દુનિયા પર પડશે. શનિ મહારાજ ન્યાયના કારક છે, બાંધકામ , ખાણ ખનીજથી લઈને લેબર અને રાજનીતિ સુધી શનિમહારાજ અસર કરે છે વળી શનિ પ્રજાનો અવાજ પણ છે! શનિના અસ્ત થવા સાથે રાજનીતિમાં ઘણા ખેરખાંની ઇનિંગ પુરી થતી જોવા મળશે કેટલાક ન્યાયાધીશો પણ આ સમયમાં કોઈ ને કોઈ રીતે તેમની ઇનિંગ પુરી કરશે અને અદાલતો ચર્ચામાં પણ રહેશે! રાજનીતિમાં ઘણા ઉલટફેર જોવા મળશે લેબરની તકલીફો વધશે અને  મોટી સાઈટ પર મજદૂરો બાબતે કાળજી લેવી પડે વળી શેરબજારમાં અચાનક મોટી ગિરાવટ જોવા મળશે તો કોઈ ને કોઈ રીતે લોકોના પૈસા ડૂબતા જોવા મળે ! વાહનથી  અને અકસ્માતથી  ખાસ સંભાળવા જેવો સમય અને વિશ્વમાં કેટલાક દેશ વચ્ચે આ સમયમાં ઘર્ષણ ઉભું થતું જોવા મળે વળી હથિયારોના મોટા સોદા આ સમયમાં ઘોચમાં પડતા જોવા મળે વિવાદનું કારણ બને અને ગુપ્ત સોદાની વિગતો બહાર આવતી જોવા મળે!  આ સમયમાં ગુપ્તચર સંસ્થાઓ મહત્વની કામગીરી કરે અને વિશ્વના રાજકારણની દિશા પણ બદલાતી જોવા મળે!! શનિ વૃદ્ધ લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય આ સમયમાં ઉંમરલાયક લોકોને તબિયતમાં સંભાળવું પડે!!ખાસ પગના અને સાંધાના દુખાવા જોર પકડે.a  ખાણને લગતી દુર્ઘટનાઓ થી આ સમયમાં સંભાળવું પડે!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.