મહોમ્મદ રફીનું નામ સાંભળતાં ભારતના સંગીત પ્રેમી લોકોમાં એક અનેરો આદરભાવ જાગી આવે છે. સ્વ. મહોમ્મદ રફી એક ઉમદા ગાયક હતા. જેમના સ્વરને જુની પેઢીના તો ઠીક પરંતુ હાલની નવી પેઢીના લોકો પણ માણે છે.મહોમ્મદ રફીકે જેઓને રફી સાહેબના હુલામણા નામથી વધુ ઓળખાય છે. જેઓની પુણ્યતીથી હાલમાં ૩૧ જુલાઇના રોજ હતી.તેમને સ્વર શ્રઘ્ધાંજલી આપવા રાજકોટમાં રફી સાહેબનામોટા એવા ફેન અને મેલોડી કલર્સ ઓકકેસ્ટ્રાના મનસુઅ ત્રિવેદી દ્વારા ‘મહોમ્મદ રફી કી યાદે’ નામથી એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં છેલ્લા ર૦ વર્ષથી મહોમ્મદ રફી જેવો અવાજ જેમના કંઠમાં વણાયેલો છે તેવા રહીમભાઇ શેખ દ્વારા રફી સાહેબના સદાબહાર ગીતો ગાઇ સંગીત પ્રેમીઓને મંત્ર મુગ્ધ કરી દેવાયા હતા.આમંત્રીત શ્રોતાઓ તથા રફી સાહેબના અવાજના પ્રેમીઓએ મોટી સંખ્યામાં આ કાર્યક્રમ અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે માણ્યો હતો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, મધ્યમ દિવસ.
- પશુપાલન અને પ્રાણી કલ્યાણ અંગે જાગૃતિ લાવવા રાજ્યભરમાં ઉજવાશે “પ્રાણી કલ્યાણ પખવાડીયું-2025”
- તુલસી પાસે ગરોળી હોવું જીવન માટે શુભ કે અશુભ?
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2025 લાઇવ અપડેટ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- Lava એ લોન્ચ કરી તેની ન્યુ સ્માર્ટવોચ…
- શું તમે પણ એક iphone લવર છો તો આ તમારા માટે…