ઈન્ડિયન એરફોર્સના કાફલામાં જોડાવા માટે વધુ 3 રાફેલ ફાઈટર જેટ ભારત પહોંચ્યાં છે. રાજ્યના જામનગર બેઝ પર રાત્રે લગભગ 11 વાગે આ વિમાનોએ લેન્ડિંગ કર્યું હતું. ફ્રાંસથી નીકળ્યા બાદ કોઈપણ સ્થળે અટક્યા વગર ત્રણેય જેટ ભારત પહોંચ્યાં છે. માર્ગમાં યુએઈની મદદથી એમાં એર-ટુ-એર રીફ્યુલિંગ કરાવ્યું હતું. આ સાથે જ ભારતમાં રાફેલની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. 11 રાફેલનો કાફલો અગાઉથી જ ફ્રાંસથી આવી ચૂક્યા છે. ન્યૂઝ એજન્સીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એપ્રિલના બીજા સપ્તાહમાં વધુ 7 રાફેલ આવી શકે છે. આ ઉપરાંત રાફેલનું ટ્રેનર વર્ઝન પણ ભારત આવશે તેમ જાણવા મળે છે.
Trending
- ઉધરસ આવવી અને છાતીમાં દુખાવો એ ટીબીની નિશાની છે?
- ગોંડલમાં શાંતી જળવાઇ રહે તે માટે પાટીદાર અને ક્ષત્રીય સમાજ એક સાથે
- રાજકોટ સહિત રાજયમાંથી ર લાખ મેટ્રીક ટન ઘંઉ ખરીદાશે: કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા
- ખર્ચાળ વિદેશી કૃત્રિમ હૃદયની જગ્યાએ દેશી સસ્તું અને ટકાઉ હૃદય મળી રહેશે!!!
- ટીબી હોય તો વહેલું નિદાન જરૂરી નહીંતર અડધું શરીર થઇ જશે બંધ
- હવે એક ક્લિકે પ્રોજેકટ અને બિલ્ડરની સંપૂર્ણ માહિતી મળી જશે
- VIDEO : બેંગલુરુમાં રથયાત્રા દરમ્યાન મોટી દુર્ઘટના..!
- સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી રૂ.38 હજારમાં વેંચી મારવાનું મસમોટું કૌભાંડ