• સહારા ઈન્ડિયાની જમીન ઝોન ફેર  કરી 500 કરોડનું કૌભાંડ આચર્યાનો આક્ષેપ કર્યો તો
  • વિધાનસભાના તત્કાલિન વિપક્ષ નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય  શૈલેષ પરમાર અને સી.જે. ચાવડા સહિત ચાર સામે ગાંધીનગર કોર્ટમાં કેસ કર્યો તો

રાજકોટના કુવાડવા રોડ પર આવેલ સહારા ઈન્ડીયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યાના આરોપો લાગતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભા વિ2ોધપક્ષના તત્કાલીન નેતા સુખરામભાઈ રાઠવા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૌલેષ 52મા2 અને કોગ્રેસ પક્ષના દંડક સી.જે.ચાવડા  સહિત  કોંગી આગેવાનો વિરુદ્ધ કરેલા બદનક્ષીના કેસમાં વિપક્ષ નેતા  સહિત ચારેય કોંગી નેતાએ લેખિતમાં બિનશરતી માફી માંગી છે. જેને પગલે ફરિયાદી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચારેય કોંગી આગેવાનો સામેનો બદનક્ષીનો કેસ પરત ખેંચવા ગાંધીનગર કોર્ટમાં કેસ વિથડ્રો પુરશીષ રજૂ કરી કેસ ફાઇલે કરવા કોર્ટમાં વિન્નતી કરી છે.આ કેસની હકીકત મુજબ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે  રાજકોટના કુવાડવા રોડ પર આવેલ સહારા કંપનીની જમીન સ2કાર કરવાના બદલે સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેર કરી રૂ.500 કરોડથી વધારે રકમનું કૌભાંડ આચાર્યું હોવાનો આક્ષેપ કરી ગુજરાત વિધાનસભા વિ2ોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૌલેષ 52મા2 અને કોગ્રેસ પક્ષના દંડક સી.જે.ચાવડાએ આક્ષેપો કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  તદ્દન ખોટા વાહિયાત આક્ષેપો કરનાર કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, ઉપ નેતા શૈલેષભાઇ પરમાર, દંડક સી.જે.ચાવડા અને અંગત મદદનીશ વિરુદ્ધ ગાંધીનગર કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. ગાંધીનગર કોર્ટે સમન્સ પાઠવતા કોંગ્રેસના ચારેય આગેવાનો કોર્ટમાં હાજર થયા હતા અને અંગત મદદનીશ વિરોધ પક્ષના નેતા પ્રવીણ પરમારે પોતાની સામેની ફરિયાદ રદ કરવા કરેલી અરજી રદ થઈ હતી. જે બદનાક્ષી કેસમાં કોંગ્રેસ અગ્રણીઓ પ્લી નોંધવા કોર્ટમાં હાજર રહેતા ન હોવાથી ગાંધીનગર કોર્ટે   સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને સી.જે. ચાવડા વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢતો હુકમ કર્યો હતો.જે હુકમ બાદ કોર્ટમાં પ્લી નોંધવામાં આવે તે પૂર્વે ચારેય કોંગી આગેવાનો પોતાના વકીલ મારફતે કોર્ટમાં હાજર થયા હતા આરોપીઓ વિરૂધ્ધ પ્લી નોંધવા સ્ટેજ હોય  અંગત મદદનીશ પ્રવિણ પરમાર દ્વારા કોર્ટ સમક્ષ ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવેલી હતી. બંને પક્ષોના વકિલો ઓને વિગતવાર સાંભળ્યા બાદ કોર્ટે  અંગત મદદનીશ પ્રવિણ પરમારની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધેલ હતી. કોર્ટે ડિસ્ચાર્જ અરજી ઘણા સમય પહેલા નામંજુર કરેલ હોવા છતા ત્રણ આરોપીઓ કોર્ટમાં ઘણા સમયથી હાજર રહેતા ન હોવાથી સુખરામભાઈ રાઠવા, શૈલેષભાઈ પ2મા2 અને સી.જે.ચાવડાના વિરૂધ્ધ અંતે ધરપકડનું વોરંટ કાઢવાનો હુકમ કરેલો હતો જે બાદ ચારેય આરોપીઓ કોર્ટમાં રજુ થયેલા હતા અને તેઓની પ્લી નોંધવામાં આવે તે પહેલા તેઓએ કેસનાં કામે તેઓના વકીલ મારફત લેખિતમાં બીનશરતી માફી માંગતો માફીપત્ર રજુ કરવામાં આવેલ હતો. ચારેય આરોપીઓની બીનશરતી માફી માંગતો માફીપત્ર રેકર્ડ પર આવતા  કોર્ટે ફરીયાદી  વિજયભાઈને તેઓને આરોપીઓએ માંગેલી લેખિત માફી સ્વીકાર્ય છે કે કેમ ? તેમજ તેઓ કેસ આગળ ચલાવવા માંગે છે કે કેમ? તે પુછતા ફરીયાદી  વિજયભાઈએ આરોપીઓ ઘ્વારા માંગવામાં આવેલી બીનશરતી માફી સ્વીકારેલી હતી અને માફીપત્રની હકીકત ઘ્યાને લઈને કેસ પરત ખેંચવા કોર્ટમાં વિથડ્રો પુરશીષ રજુ કરેલ હતી. તેમજ કોર્ટને કેસ ફાઈલે કરવા વિનંતી કરેલ હતી.આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, ધી2જ પીપળીયા, ગૌતમ 52મા2, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિ2ાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉઘરેજા, રાકેશ ભટ્ટ, તારક સાવંત, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહિત અને ગાંધીનગરના એડવોકેટ અલ્પેશ ભટ્ટ રોકાયા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.