ભારત અને ઈરાન ચાબહાર પોર્ટથી ઝાહેદાન શહેર વચ્ચે ઝડપથી નવો રેલ માર્ગ બનાવવાની યોજના બનાવી રહ્યા છે.  આ રેલવે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઈરાની બંદર ચાબહારને ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર માટે પ્રવેશદ્વાર બનાવશે.  આ કોરિડોર કેસ્પિયન સમુદ્રની પૂર્વ બાજુએ આવેલા મધ્ય એશિયાઈ અને યુરેશિયન દેશો માટે મુખ્ય વેપાર માર્ગ પૂરો પાડશે.  આમાં રશિયાનો પણ સમાવેશ થાય છે, જેણે પશ્ચિમી દેશોના પ્રતિબંધોથી બચવા માટે આ માર્ગ દ્વારા ભારત સાથે વેપાર શરૂ કર્યો છે.  આ કોરિડોરના નિર્માણથી અફઘાનિસ્તાનનો પણ અરબી મહાસાગર સાથે સીધો સંપર્ક થશે અને તેની પાકિસ્તાનના કરાચી બંદર પરની નિર્ભરતા સમાપ્ત થઈ જશે.

ભારત અને ઈરાનના અધિકારીઓએ કહ્યું છે કે ચાબહાર પોર્ટ પર કામ શરૂ થતાં જ નવા રેલ માર્ગનું નિર્માણ કરવાનું કામ ઝડપી કરવામાં આવી રહ્યું છે.  જેના કારણે ભારતમાં માલ મોકલવાનું શરૂ થઈ ગયું છે.  આ વર્ષે એવું માનવામાં આવે છે કે આ બંદર કેટલાક મિલિયન ટન કાર્ગોનું સંચાલન કરશે.  એકલા વર્ષના પ્રથમ બે મહિનામાં ચાબહાર પોર્ટ દ્વારા કેટલાય ટન માલની હેરફેર કરવામાં આવી છે.  આ અધિકારીઓએ કહ્યું કે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય સ્થાન પર સ્થિત હોવાને કારણે ચાબહાર પોર્ટ આઈએનએસટીસી  કોરિડોરનું પ્રવેશદ્વાર બની શકે છે.  હાલમાં તે ઈરાની પોર્ટ રોડ દ્વારા દેશના બાકીના ભાગો સાથે જોડાયેલ છે.

અધિકારીઓએ જણાવ્યું કે ઈરાન ચાબહાર અને ઝાહેદાનને જોડવા માટે વર્તમાન રેલવે નેટવર્કની સમીક્ષા કરી રહ્યું છે.  ચાબહાર બંદર પર ટ્રાફિક વધી રહ્યો હોવાથી, રેલ અને માર્ગ દ્વારા તેની કનેક્ટિવિટી ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી અને ઝડપથી લઈ જઈ શકાય.  આ કારણોસર તેને આગળ લઈ જવા માટે વાતચીત ચાલી રહી છે.  આ સમગ્ર ચાબહાર-ઝાહેદાન રેલ્વે લાઇન 700 કિલોમીટર લાંબી હશે.  2016માં ભારતીય રેલ્વેના આઈઆરસીઓએન અને ઈરાન રેલ્વે ક્ધસ્ટ્રકશન વચ્ચે કરાર થયા બાદ પણ આ રેલ્વે લાઈન પર કોઈ કામ આગળ વધ્યું નથી.

ચાબહાર પોર્ટના વિકાસમાં ભારતે કરોડો ડોલરનું રોકાણ કર્યું છે.  ભારતે તાજેતરમાં ત્યાં ક્રેન્સ પણ લગાવી છે જેથી ક્ધટેનર સરળતાથી લોડ અને લોડ કરી શકાય.  ચીન અને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને ટક્કર આપવા માટે ભારત ચાબહારનો વિકાસ કરી રહ્યું છે.  આ સાથે ભારતનો અફઘાનિસ્તાન અને રશિયા સાથે સીધો સંપર્ક છે.  ભારત બાદ તાલિબાન સરકારે પણ જાહેરાત કરી છે કે તે ચાબહાર પોર્ટ પાસે રોકાણ કરવા જઈ રહી છે.  આ રેલ્વે લાઇનના નિર્માણથી માલસામાનની અવરજવર ઝડપથી થઈ શકશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.