ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ટેસ્ટે શ્રેણી ચાલી રહી છે ભારતે ઈગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં વિક્રમી વિજય મેળવી દાખલો બેસાડયો છે. ત્યારે ઈગ્લેન્ડના પ્રવાસ દરમ્યાન જ ટી.૨૦ ટુર્નામેન્ટ પણ રમાવાની છે. જેના અનુસંધાને આજે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે.ઈગ્લેન્ડની ટીમ અમદાવાદના સ્ટેડિયમ ખાતે પાંચ મેચ રમાનાર છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરા ખાતે પેટીએમ ટી. ૨૦ સીરીઝના પાંચ મેચ ઈગ્લેન્ડની ટી રમવાની છે.તા.૧૨ માર્ચ, ૧૪ માર્ચ, ૧૬ માર્ચ, ૧૮ માર્ચ અને ૨૦ માર્ચનાં રોજ આ મેચ રમાશે.ઈગ્લેન્ડ સામેના પાંચ મેચ માટેની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા સીનીયર સીલેકશન કમીટીએ જે ટીમની પસંદગી કરી છે તેમાં વિરાટ કોહલી કેપ્ટન, રોહિત શર્મા વા.કેપ્ટન, કે.એલ. રાહુલ, શિખર ધવન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ,હાર્દિક પંડયા, રીષભ પંત વિકેટકીપર, ઈશાન કિશન વિકેટકીપર, યદુવેન્દ્ર ચહર, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તિવેટીયા, ટી. નટરાજન, ભુવનેશ્ર્વરકુમાર, દીપક ચહર, નવદીપ સૈની, સાર્દુલ ઠાકુર છે.
Trending
- જાણીને તમને પણ નવાઈ લાગશે! એક એવું પ્રાણી જે સફેદ નહિ કાળું દૂધ આપે છે!!!
- વિસાવદર: વિછાવડ ગામના સરપંચ પેશકદમી કરતા ગેરલાયક ઠરાવતા DDO
- GCAS પોર્ટલ મારફતે એડમિશન મેળવનાર વિદ્યાર્થીને હાલાકી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા સુચન
- Mahindra તેની XEV 9e અને BE6 ઇલેક્ટ્રિક SUVના 3,000 યુનિટનું વેચાણ કરી બજારમાં પાડયો પડઘો…
- Gen Beta ધ્યાન રાખજો : 2025 માં AI એક મોટી છલાંગ લગાવવા માટે તૈયાર છે…
- મોરબીમાં હિટવેવનું એલર્ટ : તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર
- લૂ લાગવાથી બચી, તકેદારીના પગલાં લેવા અનુરોધ!!!
- ભાજપની વિચારધારામાં અર્પણ, તર્પણ, સમર્પણની ભાવનાઓ સમાયેલી છે: ઉદય કાનગડ