લીમડો ભારતની સંસ્કૃતિ અને આયુર્વેદમાં વિશેષ સ્થાન ધરાવે છે. પણ શું તમે જાણો છો કે લીમડો હવે પ્રાકૃતિક કૃષિમાં પણ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે?
લીમડો એક એવું વૃક્ષ છે જે પ્રાકૃતિક ખેતીમાં ઘણી રીતે ઉપયોગી છે. તેના પાંદડા, બીજ, છાલ અને તેલનો ઉપયોગ જંતુનાશક, ખાતર અને અન્ય કૃષિ કાર્યો માટે થાય છે.
લીમડાની પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગીતા:
જૈવિક જંતુનાશક તરીકે: લીમડાના પાંદડા, બીજ અને તેલમાંથી બનતું “નીમ તેલ” તેમજ “નીમ ત્રિકાલ” વિવિધ જીવાતોને કાબૂમાં રાખે છે – જેમ કે તીડ, સફેદ માખી, જંતુ અને કોશટકિત પાંદડાવાળાં જીવ. લીમડામાં એઝાડીરેક્ટીન નામનું સંયોજન હોય છે, જે જંતુઓ માટે ઝેરી હોય છે. તેનો ઉપયોગ પાકને નુકસાન કરતા વિવિધ જંતુઓ જેવા કે એફિડ્સ, થ્રીપ્સ અને કેટરપિલરને નિયંત્રિત કરવા માટે થાય છે.લીમડાના તેલનો ઉપયોગ જંતુનાશક સ્પ્રે તરીકે કરી શકાય છે.
માટી શુદ્ધિકરણ અને જીવાણુ સંરક્ષણ: લીંબો જીવાણુનાશક તત્વ ધરાવતો છે. લીમડાના પાંદડા અને પાંખડાં જમીનમાં મિશ્રિત કરવાથી જમીન જીવંત બને છે અને દુષિત જંતુઓ દૂર રહે છે.
લીમડાના પાંદડા અને બીજનો ઉપયોગ ખાતર તરીકે કરી શકાય છે.તે જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ઉમેરે છે.લીમડાનું ખાતર જમીનની ફળદ્રુપતા વધારે છે અને પાકની ઉપજમાં વધારો કરે છે.
દેશી બીજોના રક્ષણ માટે લીમડાની પત્તીઓ સાથે તેને રાખે છે, જે બીજને જીવાત અને ફૂગથી બચાવે છે. આ ઉપરાંત લીમડાના પાંદડાનું કઢું બનાવીને છોડ પર છાંટવાથી જીવાત દૂર થાય છે અને છોડમાં જીવંતતા રહે છે. અંતર પાકમાં ઉગાડવા યોગ્ય વૃક્ષ લીમડો જમીનની ભેજ જાળવે છે અને તેનાં છોડ છોડ વચ્ચે ઉગાડવાથી તાપમાનનું નિયંત્રણ પણ થાય છે.
લીમડાના અન્ય ઉપયોગો
લીમડાનો ઉપયોગ જમીનના જીવાતોને નિયંત્રિત કરવા માટે પણ થાય છે.તે જમીનમાં રહેલા હાનિકારક ફૂગ અને બેક્ટેરિયાને મારી નાખે છે.લીમડાનો ઉપયોગ પશુઓના સ્વાસ્થ્ય માટે પણ થાય છે.
આમ, લીમડો એ માત્ર ઔષધિય વૃક્ષ નથી –તે કુદરત તરફથી ખેડૂતને મળેલી અમૂલ્ય ભેટ છે. જે ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળવા માંગે છે, તેમના ખેતરમાં લીમડાનું મહત્વ એવું છે જે “દવા પણ છે અને ઢાલ પણ.”