- મહાકુંભમાં ફરી એકવાર આગ
- સેક્ટર 8માં આગ ભભૂકતા અફરાતફરી
- ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
મહાકુંભમાં ફરી એકવાર આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આ વખતે સેક્ટર 8માં અનેક પંડાલ બળીને રાખ થઈ ગયા હતા. જોકે ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હોવાની જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં 30 દિવસમાં આગની આ 5મી ઘટના હતી.
અનુસાર માહિતી મુજબ, પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ સેક્ટર-8 માં લાગી હતી, જેને ફાયર ફાઇટરોએ કાબુમાં લીધી છે. મહાકુંભમાં એક મહિનાની અંદર આ પાંચમી આગ લાગી છે, અને મેળા વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સ્થળ પર હાજર છે.
ક્યારે ક્યારે આગ લાગી..
- 19 જાન્યુઆરી: સેક્ટર 19 માં ગીતા પ્રેસ કેમ્પમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 180 કોટેજ બળીને ખાખ થઈ ગયા હતા.
- 30 જાન્યુઆરી: સેક્ટર 22માં આગ લાગી હતી જેમાં 15 તંબુ બળી ગયા હતા.
- 7 ફેબ્રુઆરી: સેક્ટર 18માં આગ લાગી હતી. આ અકસ્માત શંકરાચાર્ય માર્ગ પર થયો હતો જેમાં 22 મંડપ બળી ગયા હતા.
- 15 ફેબ્રુઆરી: સેક્ટર 18-19 માં આગ લાગી હતી. જે બુઝાવી દેવામાં આવી હતી.
- 17 ફેબ્રુઆરી: સેક્ટર 8માં આગ લાગી. આગ ટૂંક સમયમાં કાબુમાં આવી ગઈ.
આજે ફરી મહાકુંભમાં ભારે ભીડ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 92.50 લાખ ભક્તોએ સ્નાન કર્યું હતું. પ્રયાગરાજના તમામ 7 પ્રવેશ બિંદુઓ જામ છે. ભીડને કારણે દરિયાગંજ સ્થિત સંગમ સ્ટેશન 26 ફેબ્રુઆરી સુધી બંધ કરવામાં આવ્યું છે. મહાકુંભમાં તૈનાત અધિકારીઓની ફરજ 27 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે.
પ્રયાગમાં ભારે ભીડ, ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત
આ સમયે મહાકુંભમાં ભારે ભીડ હોય છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 92.50 લાખ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું હતું. પ્રયાગરાજના તમામ 7 પ્રવેશ બિંદુઓ જામ છે અને તેના કારણે ટ્રાફિક વ્યવસ્થા પર દબાણ વધી ગયું છે. સંગમ સ્ટેશન 26 ફેબ્રુઆરી સુધી બંધ કરવામાં આવ્યું છે. મેળા વિસ્તારમાં વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તમામ પ્રકારના પાસ રદ કરવામાં આવ્યા છે. આ કારણે ભક્તોને પગપાળા સંગમ જવું પડે છે, અને સંગમ પહેલા 10-12 કિમી પહેલા પાર્કિંગમાં વાહનો રોકવાની વ્યવસ્થા કરવામાં આવી છે.