- બ્રહ્મા કુમારીના મુખ્ય વહીવટકર્તા દાદી રતન મોહિનીનું 101 વર્ષની વયે નિધન
- લાંબા સમયની બીમારી બાદ અમદાવાદની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
- દાદીમાના અવસાનથી અનુયાયીઓમાં શોકની લહેર ફેલાઈ ગઈ
- ગયા મહિને જ તેમણે 100 વર્ષ પૂર્ણ કર્યા હતા
સિરોહી જિલ્લાના આબુ રોડ સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રશાસક દાદી રતન મોહિનીનું અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. દાદીમાના અવસાનથી અનુયાયીઓમાં શોકની લહેર ફેલાઈ ગઈ. આ ઉપરાંત ગયા મહિને જ તેમણે 100 વર્ષ પૂર્ણ કર્યા હતા.
પાર્થિવ શરીરને મંગળવારે અમદાવાદથી આબુ રોડ બ્રહ્મા કુમારી સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્યાલયમાં લાવવામાં આવશે
તેમના પાર્થિવ શરીરને મંગળવારે અમદાવાદથી આબુ રોડ બ્રહ્મા કુમારી સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્યાલયમાં લાવવામાં આવશે. તેમને અંતિમ સંસ્કાર માટે અહીં રાખવામાં આવશે. તેમજ તેમના પાર્થિવ દેહને આજે રાજસ્થાનના આબુ રોડ સ્થિત બ્રહ્માકુમારીઓના મુખ્ય મથક શાંતિવન ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. જ્યાં મૃ*તદેહને અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવશે. સંસ્થાના અધિકારીઓ દ્વારા ટૂંક સમયમાં અંતિમ સંસ્કારની તારીખ જાહેર કરવામાં આવશે.
13 વર્ષની ઉંમરે જ્ઞાન મેળવ્યું :
દાદીનો જન્મ 25 માર્ચ 1925ના રોજ હૈદરાબાદ, સિંધ (હાલના પાકિસ્તાન)માં થયો હતો. તેમનું નામ લક્ષ્મી હતું. માત્ર 13 વર્ષની ઉંમરે તેઓ બ્રહ્માકુમારી સંસ્થાના સંપર્કમાં આવ્યાં હતા. આ ઉપરાંત બાળપણથી જ આધ્યાત્મિકતામાં રસ ધરાવતા દાદીએ સંસ્થાની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
70 હજાર કિમી લાંબી પદયાત્રા :
દાદી રતન મોહિની તેમના જીવનના છેલ્લા દિવસો સુધી સક્રિય રહ્યાં. તેઓ બ્રહ્મમુહૂર્ત દરમિયાન દરરોજ સવારે 3.30 વાગ્યે ઊઠતાં અને રાત્રે 10 વાગ્યા સુધી દૈવી સેવાઓમાં વ્યસ્ત રહેતાં હતાં. તેમણે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનો પ્રચાર કરવા માટે અનેક પદયાત્રાઓ કરી. 1985માં તેમણે 13 ટ્રેકિંગ કર્યા અને 2006માં તેમણે 31 હજાર કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી. કુલ મળીને તે 70 હજાર કિલોમીટરથી વધુ પદયાત્રા કરી હતી.
યુવા રાષ્ટ્રીય પ્રમુખ પણ હતા:
તેઓ સંસ્થામાં આવતી બહેનોની તાલીમ અને ભરતીનું પણ ધ્યાન રાખતા હતા. બ્રહ્માકુમારી સંગઠનમાં પોતાને સમર્પિત કરતા પહેલા, નાની બહેનોની તાલીમ દાદીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ પછી જ બહેનોને બ્રહ્માકુમારી કહેવામાં આવે છે. તેમણે દેશના 4600 સેવા કેન્દ્રોમાંથી 46 હજારથી વધુ બહેનોને તાલીમ આપી છે. તે યુવા વિભાગના રાષ્ટ્રીય પ્રમુખ પણ હતા.