- અમદાવાદમાં બેફામ કાર ચાલકે 8 વાહનોને અડફેટે લીધા
- રોષે ભરાયેલા લોકોના ટોળાએ માર માર્યા બાદ કાર ચાલકની શંકાસ્પદ રીતે મો*ત નિપજ્યું
- સમગ્ર મામલે પોલીસે વઘુ તપાસ હાથ ધરી
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અનુસાર માહિતી મુજબ, કૌશિક ચૌહાણ નામના એક કારચાલકે વાસણા વિસ્તારથી જુહાપુરા સુધીમાં આઠ વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આ દરમિયાન રોષે ભરાયેલા લોકોના ટોળાએ તેને ગાડીમાંથી નીચે ઉતારી માર મારતાં તેનું શંકાસ્પદ મો*ત નિપજ્યું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. કારચાલક નશામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
શું હતી ઘટના?
મંગળવારે રાત્રે વાસણા રોડથી લઈને જુહાપુરા સુધીમાં ટેક્સી પાર્સિંગ ધરાવતી કારચાલકે આઠ લોકોને અડફેટે લીધા હતાં. ડ્રાઈવર મૂળ ભાવનગરનો કૌશિક ચૌહાણ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર અકસ્માત એટલો ભયાનક હતો કે, કાર ઢસડાઈને જુહાપુરાની અલ અક્ષ મસ્જિદે આવીને અથડાય ત્યારબાદમાં કાર રોકાઈ હતી. અકસ્માત બાદ ટેક્સી ડ્રાઇવર લોકોના હાથે ચઢ્યો અને રોષે ભરાયેલા સ્થાનિકોએ તેને ખૂબ માર માર્યો હતો. આ દરમિયાન તેનું મો*ત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ, LCB સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં અને મૃ*તક ડ્રાઇવરના મૃ*તદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
અકસ્માત બાદ લોકોએ કાર અટકાવીને કારમાં તોડફોડ પણ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. જેમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. જેના કારણે રોષે ભરાયેલા ટોળાએ તેની કાર પર હુ*મલો કરી દીધો આ સાથે જ કારચાલક પર પણ હુ*મલો કર્યો હતો. જેના કારણે કારચાલકનું કરુણ મો*ત નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળી રહ્યું છે. પોલીસ જ્યારે સ્થળ પર પહોચી ત્યારે કારચાલક મૃ*ત હાલતમાં મળી આવ્યો હતો. આ ઉપરાંત તેની કારના કાચ પણ તૂટેલા હતા.
પોલીસને મૃ*ત હાલતમાં મળ્યો કારચાલક
મળતી માહિતી મુજબ, નશામાં ધૂત કારચાલક વાસણાથી કેટલાંક વાહનોને અડફેટે લેતા-લેતા આવ્યો હતો. જેના કારણે કેટલાંક વાહનો તેનો પીછો કરી તેની પાછળ આવી રહ્યા હતાં. આ લોકોથી બચવા માટે જુહાપુરાની તંગ ગલીમાં આવ્યો હતો. જુહાપુરામાં પણ આ ડ્રાઇવરે 8 લોકોને અડફેટે લીધા હતાં. ત્યારબાદમાં રોષે ભરાયેલા લોકોના ટોળાએ તેને માર માર્યો હતો. તે સિવાય રોષે ભરાયેલ ભીડે કારને પણ ભારે નુકસાન પહોંચાડ્યુ હતું. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે કારચાલક મૃ*ત હાલતમાં મળી આવ્યો હતો.