Abtak Media Google News
  • બાળકોના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા મહત્વની : પ્રાચીન કાળથી ગુરૂઓના ગુરૂકુળ – આશ્રમોની પરંપરા રહી છે : આજની સદીમાં જ્ઞાનની બોલબાલા હોવાથી શિક્ષક સજ્જતાને વિશેષ મહત્વ અપાય છે
  • શિસ્ત – ક્ષમા અને કરૂણાનો ત્રિવેણી સંગમ
  • શિક્ષક મીણબત્તી જેવો હોય છે, જે પોતે બળીને વિદ્યાર્થીઓનું જીવન રોશન કરે છે: શિક્ષક
  • શ્રેષ્ઠ ભાવિ નાગરિકોનું ઘડતર કરીને રાષ્ટ્ર વિકાસમાં મહત્વનો ફાળો આપે છે : હાલ
  • દેશમાં 15 લાખ શાળાના 96 લાખ શિક્ષકો 30 કરોડ બાળકોનું ભાવી ઘડી રહ્યા છે

પૃથ્વી પર વસ્તી દરેક વ્યક્તિનાં જીવનમાં શિક્ષકની ભૂમિકા અગ્રિમ સ્થાને રહી છે. આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસે શાળાઓના બાળપણના દિવસો સાથે આપણા શિક્ષકોને પણ યાદ કરીએ છીએ. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પણ ગુરુપૂજનનું વિશેષ મહત્વ છે. શિક્ષકની ભૂમિકા સંસ્કૃતિ મુજબ બદલાય છે. શિક્ષણ ક્ષેત્રે સારો અને સાચો રસ્તો બતાવનાર શિક્ષકની સતત ખેંચ દેશમાં જોવા મળે છે. હાલમાં દેશની 15 લાખ શાળામાં 96 લાખ શિક્ષકો 30 કરોડ બાળકોનું ભાવી પડી રહ્યા છે. પોતાના વર્ગખંડના બાળકોને પોતાના સંતનોથી વિશેષ કાળજી લઇ શિક્ષણ સાથે જીવનનું ગણતર ગુરૂ જ કરે છે. એક જુની કહેવત છે કે માતા-પિતા આપણા પ્રથમ શિક્ષક છે અને શિક્ષકો આપણાં બીજા માતા-પિતા છે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિની યાદમાં દર વર્ષે ઉજવાતા આ દિવસે રાજ્ય અને દેશ લેવલે શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ અપાય છે. પ્રાચિન સમયથી ગુરૂ પરંપરા ચાલી આવે છે

વિદ્યાર્થીના જીવન અને ઘડતરમાં શિક્ષકની ભૂમિકા મહત્વની છે, ચોમેર દિશાએ બાળકના વિકાસમાં સતત કાર્યરત ઘડવૈયો એટલે શિક્ષક. આજે શિક્ષક દિવસ છે એટલે છાત્રોના ગુરૂનો સન્માન અવસર. આજે શાળાઓમાં ગુરૂપૂજન કરી વિવિધ કાર્યક્રમો સાથે બાળકો પોતે ટીચર બનીને શિક્ષકદિન ઉજવે છે. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિની યાદમાં શિક્ષક દિવસ ઉજવાય છે. આ દિવસે રાજ્ય અને કેન્દ્ર લેવલે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર એનાયત કરાય છે. આ દિવસની ઉજવણીનો હેતુ દેશના ભવિષ્યને શિક્ષિત કરવા અને માર્ગદર્શન આપવા માટેની તેમની પ્રતિબધ્ધતા બદલ શિક્ષકનો સન્માનનો પર્વ ઉજવવાનો છે. શિક્ષકએ કોઇ વ્યવસાય નથી પણ જીવનનો માર્ગ છે. શિક્ષકોનો નિશ્ર્ચય અને પ્રમાણિકતા રાષ્ટ્રના ભાગ્યને ઘડે છે. સમાજમાં સૌથી મહત્વનું પાયારૂપ કાર્ય શિક્ષક જ કરે છે.

તડકો, વરસાદ, ટાઠ, રોગચાળો જેવી ગમે તેવી કટોકટીમાં શિક્ષકો હમેંશા કાર્ય માટે આગળ આવે જ છે, તેનું કામ નિષ્ઠાથી કરે છે અને સૌથી અગત્યની વાત તે દેશના ભવિષ્યનું શ્રેષ્ઠ નિર્માણ કરે છે. બાળકોની વય કક્ષા મુજબ રસ, રૂચિ, વલણોને ધ્યાને લઇને તે બાળકનું શ્રેષ્ઠ ઘડતર કરી દેશના શ્રેષ્ઠ નાગરીકોનું ઘડતર કાર્ય કરે છે. 1962 માં આ દિવસ પ્રથમવાર ઉજવવામાં આવ્યો હતો. વર્ષોથી ભારતીયો, શાળા, કોલેજ સંગલગ્ન સંસ્થા આ રાષ્ટ્રીય પર્વની જેમ ઉજવણી કરે છે. આજે બધી શાળામાં વિદ્યાર્થી ખુદ શિક્ષક બનીને ઉજવણીમાં સામેલ થાય છે. શિક્ષક દિવસે શાળાની તમામ વ્યવસ્થા બાળકો દ્વારા જ સંચાલિત હોય છે. આ દિવસે છાત્રો પણ માસ્તર બનાવવાનો ગર્વ અનુભવે છે.

ચાણક્યનું એક પ્રખ્યાત વાક્ય શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં ખેલતે હૈ પણ હકીકતમાં આ વાક્ય સાધારણ કભી શિક્ષક નહીં હોતા હતું. શિક્ષક પોતાના વર્ગખંડની ફૂલવાડીના વિવિધ કલર ફૂલોને સતત હસતા રાખીને જીવનનો પાઠો ભણાવે છે. તેના માટે તમામ વિદ્યાર્થીઓ એક સમાન હોય છે, બધાના કલ્યાણ સાથે બાળકોને સારા-નરસાની ભેદરેખા સમજાવે છે. વિદ્યાર્થીના જીવનને યોગ્ય માર્ગે લઇ જવામાં શિક્ષકની ભૂમિકા અગત્યની છે. ડોક્ટર, વકિલ, અધિકારી, પોલીસ, ઉદ્યોગપતિ જેવા વિવિધ મહાનુભાવોનું નિર્માણ શિક્ષક જ કરે છે. દેશના ભાવિ નાગરિકો શ્રેષ્ઠ રીતે તૈયાર કરીને દેશ વિકાસમાં અતી મહત્વનો ફાળો આપે છે.

બાળકોને લક્ષ્ય આધારિત શિક્ષણ સાથે જીવન મૂલ્ય શિક્ષણ અને સ્કીલ બેઇઝ એજ્યુકેશન શિક્ષક આપે છે. બાળકોની છૂપી કલાને પ્રોત્સાહન આપીને તેને તે દિશામાં માર્ગદર્શન આપે છે. માતા જીજાબાઇનો જેટલો ફાળો છત્રપતિ શિવાજીના ઘડતરમાં હતો તેટલો જ ફાળો તેના ગુરૂ દાદા કૌંડદેવનો પણ હતો. આપણા જીવન ઘડતર માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર શિક્ષકોના ઋણને ક્યારેય ભૂલવું ન જોઇએ.જુના જમાનાથી ગુરૂ શબ્દ પ્રચલિત છે, ગુરૂકુળની ઋષી પરંપરા સાથે પણ આ શબ્દ વર્ણાયેલો હતો. ગુરૂ બાદ માસ્તર શબ્દ શિક્ષકની માનાસ્તર સુધી જઇને કાર્યને માટે વપરાતો થયોને હવે તો શિક્ષક, ટીચર, સર, સાહેબ જેવા ઘણા શબ્દ પ્રયોજાય છે. નામ ફરતા ગયા તેમ તેના વસ્ત્રોમાં પણ પરિવર્તન જોવા મળતું આવ્યું છે. જુના કે આજના શિક્ષકોનું એક જ કર્તવ્ય કે બાળકોનું ઘડતર કરવું તેથી તેને ઘડવૈયો કહેવાય છે. ગુરૂ એવી વ્યક્તિ છે કે જે તેના જીવન દરમ્યાન હજારો છાત્રોની જિંદગીને ઉજાગર કરે છે. ગુરૂ શબ્દનો સંસ્કૃતમાં અર્થ અંધકાર દૂર કરનાર થાય છે એટલે જ કદાચ તેને સમાજમાં સર્વોચ્ચ મહત્વ સાથે આદર અપાય છે.

વિદ્યાર્થીના શિક્ષકમાં શિક્ષકનું મહત્વ વિશેષ હોય છે. નવી પેઢીઓને વધુ સારી દુનિયા નિર્માણ કરવા માટે છાત્રોને શિક્ષિત કરીને દેશને સુદ્રઢ બનાવે છે શિક્ષક. બધા વ્યવસાયોમાં શિક્ષકનો વ્યવસાય પવિત્ર ગણવામાં આવે છે. શિક્ષકમાં બાળકના જીવનમાં પરિવર્તન લાવવાની તાકાત હોય છે, તે જ્ઞાન, મૂલ્યો, સંસ્કૃતિ પરંપરા જેવી વિવિધ વાતો સાથે સારા ગુણો અને સુટેવોનું સિંચન કરે છે. બાળકોને દરરોજ ભણાવતાની સાથે વ્યક્તિ મૂલ્યાંકન પણ કરીને તે તમામ પ્રકારે તેનું મોનીટરીંગ પણ કરે છે.શિક્ષક એક સમુદ્ર જેવો છે તેનામાં જ્ઞાન પવિત્રતાનો એક આદરયુક્ત વાતો સાથેનો સરળ સ્વભાવ છે. તે અપૂર્ણને પૂર્ણ કરનારો છે. આજના યુગમાં શિક્ષકે સતત અપડેટ રહેવું પડે છે. શિક્ષકના શિક્ષણ કાર્ય અને વર્તનની અસર બાળક પર પડતી હોવાથી તેને વિશેષ કાળજી લેવી પડે છે. કોઇપણ બાળકની ક્ષમતા મુજબ મેળવવું હોય તો તેને ગુરૂનો સાથ અને માર્ગદર્શન જોઇએ જ. કોઇપણ ઇમારત તેના પાયા પર ટકતી હોય છે તેમ શિક્ષક વિદ્યાર્થીના પાયાને જ મજબૂત કરે છે જેને કારણે એના ભવિષ્યની સફળતાની શ્રેષ્ઠ ઇમારત બની શકે છે. બાળકોના ભવિષ્યના નિર્માતા એટલે તેના શિક્ષક.

બાલમંદિરને પ્રાથમિક શાળાનું શિક્ષણ માણસોને આજે પણ યાદ રહે છે તેનું કારણ તેના શિક્ષકો દ્વારા પાયાની (બૂનિયાદી) કેળવણી ખૂબ જ પરફેક્ટ આપી હોય છે. પહેલા તો શિક્ષકોને ભણાવવા સિવાય બીજું કાંઇ કામ જ ન હોવાથી સારા પરિણામો મળતા પણ આજના યુગમાં શિક્ષકને બીજી ઘણી કામગીરીમાં જોડતા તે વર્ગખંડ પ્રત્યે સમય ઓછો ફાળવી શકતો હોવાથી ઘણીવાર કોર્ષ પણ પૂર્ણ કરી શકતો નથી. વિશ્ર્વમાં તમામ દેશોમાં શિક્ષક દિવસ ઉજવાય છે પણ તેની તારીખ અલગ-અલગ હોય છે જેમ કે થાઇલેન્ડમાં 16 જાન્યુઆરી, ઇરાનમાં બીજી મે, તુર્કીમાં 24 નવેમ્બર, મલેશિયામાં 16મી મેએ ઉજવાય છે. યુનેસ્કો દ્વારા 1994થી વિશ્ર્વ ટીચર્સ ડેની ઉજવણી 5 ઓક્ટોબરે વૈશ્ર્વિક લેવલે કરાય છે.વ્યક્તિના જીવનમાં શિક્ષણનું બહુ જ મહત્વ છે. કોઇપણ વ્યક્તિ શિક્ષણ વગર મંજીલે પહોંચી શકતો નથી. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ શિસ્ત, સન્માન, ગુરૂ, શિષ્ય જેવો છે. 1966માં ટીંચીંગ ઇન ફ્રીડમ સંધિ પર હસ્તાક્ષર કરાયા જેમાં શિક્ષકોના અધિકાર, ફરજ, શિખવા, શિખવવાના નિયમ જેવી બાબતો પર વિચાર કરાયો બાદમાં 1974 માં ફરી આ સંમેલન યોજાયું હતું.

અપૂર્ણને પૂર્ણ બનાવે તે શિક્ષક

બાળકોના સંર્વાગી વિકાસમાં અને બાળકોને જાતે ભણતો કરવામાં શિક્ષકની ભૂમિકા અહંમ છે. અપૂર્ણને પૂર્ણ બનાવે તે શિક્ષક. સાવિત્રીબાઇ ફૂલે દેશના પ્રથમ મહિલા શિક્ષક હતા કે જેને છોકરીઓ માટે ઘણી શાળાઓ બનાવી હતી. રવિન્દ્રનાથ ટાગોરે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણની વાત સાથે બાળકનાં શારીરીક અને માનસિક કૌશલ્યો વિકસાવવા નવો રાહ ચિંધ્યો. ચોથી સદીમાં વિષ્ણુગુપ્ત કે કૌટિલ્ય તરીકે ઓળખાતા ચાણક્ય એક ભારતીય શિક્ષક હતા. જેમણે નીતિ અને અર્થશાસ્ત્રના બે મહાન પુસ્તકો લખ્યા જે આજે પણ જ્ઞાનનો મહાકુંભ જેવા છે. સ્વામી વિવેકાનંદે ગુરૂકુળ પ્રણાલીને પ્રોત્સાહન આપ્યું હતું. શિક્ષણના કટ્ટર હિમાયતી એવા ડો.એપીજે અબ્દુલ કલામ માનતા કે શૈક્ષણિક ડિગ્રી મેળવવા ઉપરાંત વિદ્યાર્થીઓએ સફળ કારકિર્દી અને ઉતું-જીવવા માટે કુશળતા વિકસાવવી જોઇએ. ઉપયુક્ત પાંચ ભારતના મહાન શિક્ષકો હતા. શિક્ષકમાં બાળકને ધારે તે બનાવી શકવાની તાકાત છુપાયેલી હોય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.