ગુજરાત સહિત ભારતભરમાં કોરોનાના કેસ ફરી ઝડપભેર વધતા સાવચેતીનાં ભાગરૂપે ઘણા રાજયોનાં શહેર જિલ્લાઓમાં પાબંદીઓ લાદી લેવાઈ છે. વધતા કેસમાં ગુજરાત ચોથા ક્રમે છે. સંક્રમણનાં આ ફેલાવાને રોકવા સરકાર એકશન મોડમાં આવી ગઈ છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા એમ ચાર મહાનગરોમાં રાત્રી કફર્યું વધારી દેવાનો રૂપાણી સરકારે નિર્ણય લીધો છે. એમાં પણ સુરતી અને અમદાવાદીઓ માટે વધુ કડક નિર્ણય લેવાયો છે. સુરત અને અમદાવાદમાં મહાનગરપાલિકાએ રાત્રી કફર્યું એક કલાક વધારી દીધો છે. જે મુજબ અહી લોકો રાત્રે 9 વાગ્યાથી સવારનાં 6 વાગ્યા સુધી બહાર નીકળી શકશે નહી. જયારે રાજકોટ, વડોદરામાં રાત્રી કફર્યું 10 વાગ્યાથી સવારનાં છ વાગ્યા સુધી છે. ગુજરાતમાં કોરોના કેસમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ ચિંતાજનક છે. જેના કારણે મહાપાલિકા દ્વારા આ નિર્ણયલેવાયો છે. સુરત અને અમદાવાદમાં સાંજે સાત વાગ્યા બાદ લારી, પાન-ગલ્લા, ચાની કેબીનો બંધ કરીદેવા આદેશ જારી કરી દેવાયા છે. બાગ-બગીચા, રમત-ગમતના મેદાનો વગેરે પર પણ અગાઉથી જ પ્રતિબંધ લાદી ચૂકયો છે.
Trending
- Bajaj Chetak 3503 દમદાર ફીચર્સ દાથે ભારતમાં લોન્ચ, જાણો તેના અદ્ભુત ફીચર્સ..
- KTM એ ઑસ્ટ્રિયામાં તેનું ઉત્પાદન ફરી કર્યું સ્થગિત…
- શ્રમ અને રોજગાર મંત્રીના હસ્તે ડ્રોન તાલીમ કેન્દ્રો તથા ITIના નવીન મકાનોનું વર્ચ્યુલી કરાયું લોકાર્પણ
- સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર, OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા કંપનીઓને નોટિસ..!
- રશ્મિકા મંદાના ક્લાસી ફોર્મલ લુકમાં લાગી “Hot”
- વડોદરામાં પ્રેમ સંબંધને લઇને યુવકની હ*ત્યા મામલે બે આરોપીની ધરપકડ!!!
- ગરમીમાં પણ ગ્લોઇંગ સ્કીન !! આ ઘરગથ્થુ સ્ક્રબ સ્કીન ટેનિંગને કરશે દૂર
- Instagram/YouTube પર વીડિયો અપલોડ કરતા પહેલા આ જાણી લો, નહીં તો…