સુરતના શિવ શક્તિ કાપડ માર્કેટમાં આગને કાબુમાં લેવા ફાયરના કર્મચારીઓએ તનતોડ મહેનત કરી હતી. ખડે પગે ફરજ બજાવી હતી. આ દરમિયાન એક ફાયર ઓફીસર જયદીપ ઈસરાણી ઈજાગ્રસ્ત થયા હતા. જયદીપ ઈસરાણીએ આગ મામલે ખાસ વાતચીત કરી હતી. તેમજ આગમાં જીવના જોખમે કામ કરતા ફાયર ઓફિસર ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત એક હાથમાં ઓપરેશન કરવામાં આવ્યું છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરતના શિવ શક્તિ કાપડ માર્કેટમાં લાગેલી આગ 36 કલાક બાદ કાબુમાં આવી ત્યાં સુધીમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે આ આગને કાબુમાં લેવા ફાયરના કર્મચારીઓએ તનતોડ મહેનત કરી હતી. ખડે પગે ફરજ બજાવી હતી. ત્યારે તારીખ 26 ફેબ્રુઆરીની રાત્રે એક ફાયર ઓફીસર ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત ફાયર ઓફીસર જયદીપ ઈસરાણીએ આગ મામલે ખાસ વાતચીત કરી હતી. તેઓ જ્યારે આગ લાગી હતી ત્યારે અંદર ગયા ત્યારે શું માહોલ હતો અને તેઓ કઈ રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ભયાવહ આગમાં જીવના જોખમે કામ કરતા ફાયર ઓફિસર ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. હાથમાં એક ઓપરેશન કરવામાં આવ્યું છે અને બીજું ઓપરેશન પણ કરવું પડશે.
સુરતની શિવ શક્તિ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી તારીખ 26 ફેબ્રુઆરીએ સવારે લાગેલી આગ 27 ફેબ્રુઆરીએ સાંજ સુધીમાં કાબુ આવી હતી. સુરત ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો છે સુરતના ઇતિહાસમાં સૌથી મોટી અને નુકસાનકારક આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે વેપારીઓનો તમામ મુદ્દા માલ બળીને ખાખ થઈ ગયો છે આ ભીષણ આગને બુજાવવા માટે સુરત ફાયર વિભાગના કર્મચારીઓ પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને કામગીરી કરી રહ્યા હતા.
બેઝમેન્ટ થી લઈ ટોપ ફ્લોર સુધી લાગેલી આગમાં ફાયર વિભાગના કર્મચારીઓ ઓક્સિજન માસ્ક ના આધારે આગમાં હતા અને આગને કઈ રીતે કાબુમાં લઈ શકાય તે અંગે કામગીરી કરી હતી. આ આગની ઘટનામાં એક ફાયર કર્મચારી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જયદીપભાઇ ઈસરાણી સુરતના માન દરવાજા ફાયર સ્ટેશનમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ફાયર વિભાગમાં આગનો કોલ મળ્યો એટલે જયદીપ ઈસરાણી પોતાના ટીમ મેમ્બરો સાથે શિવ શક્તિ કાપડ માર્કેટ પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું.
જયદીપ ઈસરાની ભીષણ આગમાં અંદર ગયા હતા પરત ફરતી વખતે આગ અને ધુમાડો અને અંધારાના કારણે તેમને ત્યાં કંઈ દેખાતું ન હતું અને અચાનક એક ખાડામાં પડ્યા હતા. જેના કારણે તેમને હાથમાં ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક જ તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ જોયું તો જયદીપ ઈસરાની ને હાથમાં એક મેજર ક્રેક અને એક માઇનોર ક્રેક થઈ ગયો છે. એક ઓપરેશન ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું છે અને બીજું ઓપરેશન થોડા દિવસોમાં કરવામાં આવશે.
જયદીપ ઈસરાનીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે મને ઈજાઓ થઈ છે પરંતુ હું પાછો સાજો થઈ અને ફાયર વિભાગમાં જ ફરજ બચાવીશ. સુરતના લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે અમે કાર્ય કરતા રહીશું. જયદીપભાઇ નો જુસ્સો જોઈ બીજા ટીમ મેમ્બરોનો પણ જુસ્સો વધ્યો હતો. જયદીપભાઇના માતાએ જણાવ્યું હતું કે મારા દીકરાને ઈજાઓ થઈ છે પરંતુ કાપડ માર્કેટ સળગતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. મારા દીકરાને સારું થઈ જશે અને પરત ફરજ પર ફરશે અને સુરતના લોકોની સેવા કરશે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય