સુરત: દેડિયાપાડા તાલુકાના માલ સામોટ ગામે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતા અને ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવી, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષા રોપણ કાર્યકમ યોજાયો હતો. બાદમાં રૂપિયા 40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રૂરલ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.

02 32

‘એક પેડ માં કે નામ’ કાર્યકમમાં સહભાગી નાગરિકોને સંબોધતા મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની મુશ્કેલી સામે ઝઝૂમી માનવીને સ્વસ્થ જીવન પુરું પડવાના માર્ગો સોધી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે ‘એક પેડ માં કે નામ’ અભિયાનનો વિચાર આપ્યો છે. આ વિચાર એટલે માતા સાથેના અમૂલ્ય સંબંધોને મૂલવવાનો અને માતાનું ઋણ ચૂકવવાનો અવસર છે. સૌને પોતાની માતાના નામે આ વૃક્ષ યાદ રહેશે‌ અને આ અભિયાનથી લોકોમા જાગૃતિ પણ આવશે. ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાતમાં 17 કરોડ વૃક્ષો રોપવાના લક્ષ્યાંક સામે 16 કરોડ રોપાનું વાવેતર થઈ ચૂક્યું છે.

02 33

જેમાં વહિવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સહયોગ રહેલો છે. સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા આ અભિયાનમાં સૌને જોડાઈને વૃક્ષો રોપવા – ઉછેરવા અને પોતે વાવેલા વૃક્ષની મુલાકાત લઈ તેનું જતન કરવા સૌને અપિલ કરી હતી. ‌વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, આદિવાસી સમાજ માટે સરકાર હંમેશા ચિંતિત છે. વન અધિકાર કાયદા અંતર્ગત આદિવાસી સમાજને ન્યાય આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. સરકારે લોકોના આરોગ્યની ચિંતા કરી આયુષ્માન કાર્ડ થકી રૂપિયા 10 લાખ સુધીની વિના મૂલ્યે સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

મંત્રીએ કહ્યું કે,‌ સાપુતારાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધીની વિકસી રહેલી પ્રવાસન સર્કીટના કારણે હવે માલ સામોટ ખાતે નિર્માણ થનારા રૂરલ ઈકો ટુરિઝમના નિર્માણથી SOUની મુલાકાતે આવતા પ્રવાસીઓ અહીં આવશે. જેનાથી સ્થાનિક આદીવાસી યુવાનો અને મહિલાઓ સખીમંડળોને રોજગારી મળી રહેશે. સ્થાનિક બનાવટો અને સ્થાનિક ખાણી પીણીને પ્રોત્સાહન મળશે અને રોજગારીનું સર્જન થશે તેમ તેઓએ જણાવ્યું હતુ.

01 27

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મોતી વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમખ અને જિલ્લા પંચાયતના સભ્ય પર્યુષા વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમન ખાનસિંગ વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય સોમા વસાવા, અગ્રણી વિક્રમ તડવી, નાયબ વન સંરક્ષક નિરજ કુમાર, નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ (સામાજિક વનીકરણ), દેડિયાપાડાના પ્રાંત અધિકારી ધવલ સંગાડા, મામલતદાર એસ. વી. વિરોલા, વન વિભાગના અધિકારીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધીઓ, વન વિભાગના અધિકારીઓ, શાળાના બાળકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.