સુરત: નેશનલ વોટર એવોર્ડ અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ જલશક્તિ મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનો પ્રથમ ક્રમનો પુરસ્કાર મેળવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હી ખાતે મેયર, મ્યુ.કમિશનરને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાને જલશક્તિ મંત્રાલય દ્વારા પાંચમા નેશનલ વોટર એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા(બેસ્ટ અર્બન લોકલ બોડી) તરીકે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હી ખાતે મેયર દક્ષેશ માવાણી, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ અને મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલને શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનો પુરસ્કાર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સુરત મનપાએ સુએઝ ટ્રીટમેન્ટથી વોટર રિસાયકલીંગ અને અને રિયુઝ, જળ સંરક્ષણ, વોટર મેનેજમેન્ટમાં શ્રેષ્ઠ અને કાર્યક્ષમ કામગીરી બદલ આ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ મેયર દક્ષેશ માવાણી, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ અને મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે સુરતવાસીઓ, મનપા અધિકારી-કર્મચારીઓ, રાજ્ય સરકાર અને મનપાની ચૂંટાયેલી પાંખનો આભાર વ્યક્ત કરી શહેરને જળશુદ્ધિકરણ, જળવ્યવસ્થાપનમાં સહયોગ આપવા બદલ શહેરીજનોને પણ અભિનંદન પાઠવ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.