- 17 વર્ષીય યુવતીએ ઝે*રી દવા પીને કર્યો ચોંકાવનારો ખુલાસો
- નિલેશ બોરીચાના કહેવાથી યુવતીએ કર્યો આપ*ઘાત
- યુવતીને આપ*ઘાતની દુષ્પ્રે*રણા આપનાર નીલેશ નામના યુવકની ધરપકડ
- યુવતીનું સારવાર દરમિયાન મો*ત
- અંતિમ ક્ષણોમાં યુવક સાથે સગાઈ કર્યાનો ખુલાસો કરતાં પરિવાર સ્તબ્ધ
સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક 17 વર્ષની કિશોરીએ ઘઉમાં નાખવાની દવા પીને આપ*ઘાત કરી લીધો હતો. દવા પી લીધા બાદ બેભાન થઈને ઢળી પડેલી કિશોરીને પરિવાર હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો. જ્યાં તેણે મરતા પહેલા જે જણાવ્યું તે જાણીને પરિવાર પણ ચોકી ગયો હતો. કિશોરીએ જણાવ્યું હતું કે નીલેશે કીધું હતું કે મરી જા. કિશોરીએ નિલેશને પોતાનો ઘરવાળો હોવાનું જણાવ્યું હતું. કિશોરીને મરવા માટે મજબૂર કરનાર નિલેશની સામે પરિવારે આપ*ઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવતા કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગરના ગારીયાધાર ના વતની અને સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી શક્તિ વિજય સોસાયટીમાં 17 વર્ષીય સગીરા પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા-પિતા એક ભાઈ અને એક બહેન છે. માતા-પિતા પ્રાઇવેટ સફાઈ કામદાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. સવારના નવેક વાગ્યાની આસપાસ સગીરા ઘરે હાજર હતી. સગીરા બાથરૂમમા નાહવા માટે ગયેલ અને નાહીને બહાર નિકળતા તેને ચક્કર આવતા તે નીચે પડી ગઇ હતી.
દીકરી બેભાન થઈને ઢળી પડતા પિતાએ પત્ની ને ઘરે આવવા જણાવ્યું હતું. ત્યારબાદ સગીરાને લઈને રિક્ષામાં ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં હોસ્પિટલના તબીબો દ્વારા સગીરાએ દવા પીધી હોવાનું જણાવ્યું હતું. આ બાબતે પરિવારજનો દ્વારા પણ તપાસ કરવામાં આવતા સગીરાએ ઘઉંમાં નાખવાની દવા પીધી હોવાનું જાણવા મળ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં સગીરાની સારવાર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સગીરાનું ટૂંકી સારવારમાં મો*ત નીપજ્યું હતું.
ત્યારે હાલમાં કાપોદ્રા પોલીસ દ્વારા નિલેશ બોરીચાને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસે નિલેશ બોરીચાને ઝડપી પાડ્યો હતો. નિલેશ મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ઈટીયા ગામનો રહેવાસી છે. કાપોદ્રા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને નિલેશને કોર્ટમાં રજૂ કર્યો હતો. કાપોદ્રા પોલીસ દ્વારા નિલેશના રિમાન્ડની માંગ કરવામાં આવી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય