Abtak Media Google News

ગુજરાત ભાજપના યુવા નેતા અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતાનું અવસાન થયું છે. આજે શનિવારે બપોરના સમયમાં હોસ્પિટલના બિછાને રમેશચંદ્ર સંઘવીએ અંતિમ શ્વાસ લીધા હતા.

મળતી માહિતી મુજબ, રમેશચંદ્ર સંઘવી હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. જ્યારે સુરતમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા આજે તા. 17 ઓગસ્ટના સાંજે 5 વાગ્યે અંતિમયાત્રા નીકળશે.

રમેશભાઈ સંઘવી છેલ્લા ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા ત્રણ દિવસથી તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે તા. 17 ઓગસ્ટ બપોરના સમયે તેમનું નિધન થયું છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેમની તબિયત નાદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરોના કાળ પછી તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.