સોમનાથ મહાદેવને શ્રાવણ માસ દરમિયાન દરરોજ વિશેષ શણગાર કરવામાં આવે છે. દરરોજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટીને સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.ત્યારે ગઈકાલે સોમનાથ મહાદેવને ફૂલો તથા સુકામેવાનો અદ્વિતિય શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આ શ્રૃંગારની ઝાંખી મેળવી ભાવિકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી.૧૨ જયોતિલીંગ પૈકીની પ્રથમ સોમનાથ મહાદેવ ખાતે દરરોજ દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવીકો ઉમટી પડે છે. તેવામાં શ્રાવણ માસ નિમિતે ભાવિકોનું મહેરામણ ઉમટે છે. લાખો ભાવિકોના આસ્થાના કેન્દ્ર સમા સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિતે મહાદેવને અલૌકીક શ્રૃંગારથી સજાવવામાં આવે છે.
આ શ્રૃંગારની ઝાંખીના દર્શન કરી દરરોજ ભાવિકો ધન્યતા અનુભવે છે. તેવામાં ગઈકાલના રોજ સોમનાથ મહાદેવને ફૂલો અને સુકામેવાનાં શ્રૃંગારથી શણગારવામાં આવ્યા હતા. આ દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
Trending
- Googleએ ક્રોમકાસ્ટ ડિવાઇસના પ્રોબ્લેમનું કર્યું નિવારણ…
- બનાસકાંઠાના તાલુકાઓમાં કરોડોના રસ્તાના કામો થયા પૂર્ણ
- KVS Balvatika Admission: કેન્દ્રીય વિદ્યાલય બાલવાટિકાની ફી કેટલી ? મફતમાં કોણ કરી શકે છે અભ્યાસ?
- અમદાવાદના શેર ઓપરેટર પર દરોડો : 95 કિલો સોનું, 10 કરોડની રોકડ જપ્ત
- કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે નાઈટ કોમ્બિંગ….
- Huawei 20 માર્ચના નવા મલ્ટીપલ ઉપકરણો કરશે લોન્ચ…
- શામળાજીના અણસોલ પાસે હિટ એન્ડ રનની ઘટના….
- ગુજરાત થી દિલ્હી સુધી કેન્દ્ર સરકાર વૃક્ષો દ્વારા ‘ગ્રેટ ગ્રીન વોલ’ બનાવશે