Abtak Media Google News

વિશ્વેશ્વર મહાદેવ મંદિરથી શરુ થઇ દશનામ ગોસ્વામી સમાજના સમાધી સ્થાને થશે પૂર્ણ

રાજકોટમાં સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ તથા અતિત નવ નિર્માણ સેના દ્વારા કાલે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. કાલે બપોરના 3 વાગ્યે અગિયાર દિકરીઓ તથા સંતો-મહંતો ના હસ્તે શિવ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે.

જેમાં વિવિધ પ્રકારના મહાદેવજીનો મુખ્ય રથ, સંત-મહંતો, વિવિધ પ્રકારના ફોર વ્હીલર તથા ટુ વ્હીલર તથા ડિ.જે.ના સથવારે વિશ્વેશ્વર મહાદેવ મંદિરથી મવડી ફાયર બ્રિગ્રેડ, બેકબોન ચોક, રાજનર ચોક, કોટેચા ચોક, નિર્મળા રોડ, હનુમાન મઢી રોડ, રૈયા રોડ, રૈયા ચોકડી થઇને રૈયા ગામ દશનાથ ગોસ્વામી સમાજના સમાધી સ્થાને સાંજે 7.30 વાગ્યે મહાઆરતી બાદ મહાપ્રસાદ સાથે સમાપન કરવામાં આવશે. ત્યારે શોભાયાત્રા અંગેની માહીતી આપવા રાજેશગીરી ગોસ્વામી, સંજયગીરી ગોસ્વામી, પ્રશાંતપુરી ગોસ્વામી, ધર્મેન્દ્રગીરી ગોસ્વામી, અશ્ર્વિનપુરી ગોસ્વામી, લતેષપુરી ગોસ્વામી, ચંદ્રેશભાર્થી ગોસ્વામી, અશ્ર્વિનગીરી ગોસ્વામી, કિશોરગીરી ગોસ્વામી, હસુબાપુ (ભગવા ગ્રુપ) નીલેશભાઇ ભાર્થી વિશાલગીરી ગોસ્વામીએ ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાત લીધી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.