• હિંમતનગર નજીક ગમખ્વાર અકસ્માત
  • ગેસ કટર વડે કારના પતરા કાપી મૃતદેહ બહાર કઢાયા: અમદાવાદ-ઉદયપુર હાઇવે મરણચિસોથી ગુંજી ઉઠ્યાં
  • કારમાં બેઠેલી એક વ્યક્તિની હાલત ગંભીર: હિંમતનગર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ

હિંમતનગર નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રકની પાછળ ઇનોવા કાર ધડાકાભેર અથડાતા કારમાં હાજર સાત લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે જયારે એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્તને હિંમતનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જયારે બીજી બાજુ અકસ્માત એટલો હૃદયદ્રાવક હતો કે કારનો કચ્ચરઘાણ સર્જાઈ જતાં મૃતદેહ બહાર કાઢવા ગેસકટરથી પતરા કાઢવાની ફરજ પડી હતી. આજે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતથી અમદાવાદ-ઉદયપુર હાઇવે મરણચિસોથી ગુંજી ઉઠ્યો હતો. ઉલ્લેખનીય બાબત છે કે, મૃતકો અમદાવાદના રહેવાસી છે અને સિંધી સમાજમાંથી આવે છે. મૃતકોમાં મોટાભાગના યુવાનોની ઉમર 24 થી 25 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે.

હિંમતનગર નજીક બુધવારે એટલે કે આજે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. શામળાજીથી અમદાવાદ કારમાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. કાર ટ્રકની પાછળ ઘુસી ગઇ હતી. આ અકસ્માતમાં કારના ટુકડે ટુકડા થઈ ગયા છે, જ્યારે અંદર બેઠેલા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર એક કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી જતાં 7 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એકની હાલત પણ ગંભીર છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઈનોવા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારની અંદર લાશો ફસાઈ ગઈ હતી. જેના કારણેગેસ કટરથી કારના પતરાં કાપી લાશોને બહાર કાઢવી પડી હતી.

હિંમતનગરમાં સહકારી જીન નજીક આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જ્યાં શામળાજી તરફથી અમદાવાદ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં એકની હાલત ગંભીર છે જેની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાશી હોવાનું ખૂલ્યું છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે જીજે-01-આરયુ-0077 નંબરની ઈનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હતી. અકસ્માતમાં રોહિતભાઈ, સાગરભાઈ, ચિરાગભાઈ, રાહુલભાઈનો સમાવેશ થાય છે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. મોટાભાગના મૃતકો અમદાવાદી હોવાની જાણકારી મળી છે. જે એક વ્યક્તિ આ અકસ્માતમાં બચ્યો હતો તેની હાલત પણ ગંભીર છે અને તેને સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.