- ઓવરટેક કરવા જતાં ટ્રક મિનિ બસ સાથે અથડાઈ: બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો
કચ્છમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં સાત લોકો કાળનો કોળિયો બન્યા છે. મુંદ્રાથી ભુજ જતી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે કેરા ગામ નજીક અકસ્માત સર્જાતા હાઇવે મરણચિસોથી દ્રવી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં માનકુવા પોલીસ, એમ્બયુલન્સ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા જયારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ભુજથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ભુજના મુન્દ્રા રોડ વચ્ચે કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, બસમાં 40 લોકો સવાર હતાં, જેમાંથી સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ સિવાય 4 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની ગંભીરતા જોતા મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
મળતી માહિતી મુજબ, બપોરના સમયે આ અકસ્માત થયો હતો. એક ક્ધટેનર ઓવરટેક કરવા જતાં મિની બસ સાથે ટકરાયું હતું. જેમાં બસનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ મિની બસ મુંદ્રાથી ભુજ તરફ જઇ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ઉતાવળે 108 પણ પહોંચી ગઇ હતી. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
કેવી રીતે બની ઘટના?
ટ્રકને ઓવરટેક કરવા જતા બસને અકસ્માત નડ્યો હતો. ટ્રકની સાથે ટકરાતા બસના આગળના આખા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે મૃતદેહો રસ્તા પર ફંગોળાયા હતા.
બસમાં 40 લોકો મુસાફરી કરી રહ્યા’તા
ખાનગી બસમાં 40 લોકો સવાર હતા. આ ભયંકર અકસ્માતની ઘટનામાં બસમાં સવાર 40 માંથી 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. મોતનો આંકડો હજુ પણ વધવાની શક્યતા છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.