• રાષ્ટ્રપતિ એવોર્ડની જાહેરાત
  • આઈપીએસ રાજેન્દ્રસિંહ ચુડાસમા, એસીબીના ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ
  • ગોહિલ સહિતના અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત

રાષ્ટ્રપતિ એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં રાજકોટના ડીસીપી સજ્જનસિંહ પરમાર અને એસીબીના ડીવાયએસપી કે.એચ.ગોહિલની પણ પસંદગી કરવામાં આવી છે. રાજ્યના 25 અધિકારી-કર્મચારીઓની રાષ્ટ્ર્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે.

સ્વાતંત્ર્ય દિનના અવસર પર પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના જવાનો માટે રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટનાં ઝોન-1ના ડીસીપી સજ્જનસિંહ પરમાર તેમજ એસીબીના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહજી ગોહિલ સહિત ગુજરાત રાજ્યના 25 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી થઈ છે. આ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે.

પોલીસ વિભાગ તેમજ હોમગાર્ડ તેમજ ફાયર સર્વિસ અને ડીફેન્સ તેમજ જે તે વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓને તેમની વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક દર વર્ષે આપવામાં આવે છે અને મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ સંસાધન અને ફરજ પ્રત્યે સમર્પણની લાક્ષણિકતા ધરાવતાં મુલ્યવાન સેવા માટે એનાયત કરવામાં આવે છે તેમજ પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવે છે.આ જાહેર થયેલી યાદીમાં દેશભરનાં કુલ 1037 જવાનોને આ અલગ અલગ વિભાગમાં રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત થઈ છે. જેમાં ગુજરાતના 25 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટનાં ડીસીપી સજ્જનસિંહ પરમાર તથા એસીબીના ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ઉપરાંત ગુજરાતના અલગ અલગ અધિકારીઓની પસંદગી થઈ છે.જેમાં ડીવાયએસપી બી.એચ. ચાવડા તથા પીએસઆઈ બી.એમ. બોરાણાને તેમની વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે તેમજ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ માટે પસંદગી પામેલા અધિકારીઓમાં એસઆરપીના કમાન્ડન્ટ આઈપીએસ અધિકારી એ.એમ.મુનીયા, આઈપીએસ અધિકારી એવા એસઆરપીના અન્ય કમાન્ડન્ટ રાજેન્દ્રસિંહ ચુડાસમાં તેમજ ડીવાયએસપી બી.સી.ઠાકર, ડીવાયએસપી ડી.જે.ચૌધરી, એસીપી એન.પી.ગોહિલ, ડીવાય એસપી જે.બી.પુરોહિત, પીએસ આઈ કે.ડી.પંથ, પીએસઆઈ એ.એ. શ્રીમાળી, એએસઆઈ વી.એન.પટેલ, એએસઆઈ બી. આઈ.મુબારક, પીએસઆઈ આઈ.એ.સિસોદીયા, હેડ કોન્સ્ટેબ આર.કે.પટેલ, પીએસઆઈ કે.એસ. સિસોદીયા, હથિયારી એકમના પીએસઆઈ પી.ડી.પટેલ, હેડ કોન્સ્ટેબલ એમ.એસ.પટેલ અને પીએસઆઈ ડી.સી.વાઘેલાનો સમાવેશ થાય છે.

જ્યારે હોમગાર્ડના પ્લાટુન કમાન્ડન્ટ એસ.બી.વસાવા, હવાલદાર કલાર્ક પી.ડી.ઝાલા તથા ડેપ્યુટી ચીફ વોર્ડન બી.એસ.શાહ અને એમ.બી.સોરઠીયાનો સમાવેશ કરાયો છે.વિશિષ્ઠ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક તેમજ વિશિષ્ઠ રેકોર્ડ માટે એનાયત કરવામાં આવે છે. પ્રતિષ્ઠિત સેવા માટે 102, રાષ્ટ્રપતિ ચંદ્રમાંથી 94 પોલીસ સેવા, 4 ફાયર સર્વિસ અને 4 સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડ સર્વિસને એનાયત કરવામાં આવે છે. મેરિટોરિયસ સર્વિસ માટે 753 મેડલમાંથી 667 પોલીસ સેવા, 32 ફાયર સર્વિસ 27 ડિફેન્સ સર્વિસ અને હોમગાર્ડ સર્વિસ તેમજ 27 સુધારાત્મક સેવા કરનારને આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

શૌર્ય માટે રાષ્ટ્રપતિ ચંદ્રક (પીએમજી) અને મેડલ ફોર શૂરતા (જીએમ)ને અનુક્રમે જીવન અને સંપત્તિ બચાવવા, અથવા ગુનાખોરી અટકાવવા અથવા ગુનેગારોની ધરપકડ કરવા માટે, સંબંધિત અધિકારીની ફરજો અને ફરજોના સંબંધમાં અંદાજવામાં આવતા જોખમને ધ્યાનમાં રાખીને અનુક્રમે શૌર્ય અને બહાદુરીના દુર્લભ અધિનિયમના આધારે આપવામાં આવે છે.

277 વીરતા પુરસ્કારોમાંથી મોટા ભાગના ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત વિસ્તારોના 119 કર્મચારીઓ, જમ્મુ અને કાશ્મીર પ્રદેશના 133 કર્મચારીઓ અને અન્ય પ્રદેશોમાંથી 25 કર્મચારીઓને તેમની બહાદુરી માટે સન્માનિત કરવામાં આવ્યા છે. બહાદુરી મેડલ મેળવનારા કર્મચારીઓમાં 15ના સભ્યો તરીકે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (મોનુસ્કો)માં યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન સ્ટેબિલાઇઝેશન મિશનના ભાગરૂપે શાંતિ જાળવવાના પ્રતિષ્ઠિત કાર્યમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ ધ બુટેમ્બો ખાતે મોરોક્કન રેપિડ ડિપ્લોયમેન્ટ બટાલિયન (એમઓઆરડીબી) કેમ્પમાં બીએસએફની કોંગોની ટુકડી બીએસએફના જવાનોને 02 પીએમજી એનાયત કરવામાં આવ્યા છે.

277 વીરતા મેડલમાંથી જમ્મુ-કાશ્મીર પોલીસના 72 જવાનો, મહારાષ્ટ્રના 18 જવાનો, છત્તીસગઢના 26 જવાનો, ઝારખંડના 23 જવાનો, ઓડિશાના 15 જવાનો, દિલ્હીના 08 જવાનો, સીઆરપીએફના 65 જવાનો, એસએસબીના 21 જવાનો અને અન્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને સીએપીએફના બાકીના જવાનોને 275 જીએમ એનાયત કરવામાં આવ્યા છે.

  • 19 વર્ષની ફરજમાં ડીસીપી સજ્જનસિંહ પરમારે
  • અનેક મહત્વપૂર્ણ ગુન્હાના ભેદ ઉકેલ્યા

રાજકોટના ડીસીપી ઝોન-1 તરીકે ફરજ બજાવતા સજ્જનસિંહ પરમાર છેલ્લા 19 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવી રહ્યા છે. તેઓ પોલીસ ખાતામાં વર્ષ 2005માં ડીવાયએસપી તરીકે જોડાયા હતા અને ત્યારબાદ વર્ષ 2012માં આઈપીએસ તરીકે નિયુક્તિ થઇ હતી. 19 વર્ષમાં જામનગર, અમદાવાદ, રાધનપુર, વડોદરા, સુરત અને બોટાદ ખાતે ફરજ બજાવી ચુક્યા છે. તેમના હાલ સુધીના કાર્યકાળમાં કરેલા ડિટેક્શનની યાદો વાગોળતા ’અબતક’ને જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2010માં જામનગર ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે એક ગુમ થયાની જાણવા જોગ નોંધ થઇ હતી. જે બાદ ગુમ થનારનો મૃતદેહ મળી આવતા એડી નોંધ થઇ હતી પણ સજ્જનસિંહને કંઈક રંધાઈ રહયાની ગંધ આવતા તેમણે તપાસની કમાન પોતે સંભાળી હતી અને અંતે આખેઆખી ફિલ્મ જેવી સ્ટોરી સામે આવી હતી. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધાનું સામે આવતા પત્ની અને પ્રેમીની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. આ ઉપરાંત તેમણે સુરત ખાતેની પોતાની ડીસીપી તરીકેની ફરજ દરમિયાન પાથરણાવાળા સહીતના લોકોની મદદ કરીને માનવતા મહેકાવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.