- વેલંજામાં સાવરકુંડલાના રત્નકલાકાર પારસ વેકરીયાની હ*ત્યા
- મિત્રો સાથે બેઠો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ કર્યો હુ*મલો
- ઉતરાણ પોલીસે મૃત*દેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી
સુરતના વેલંજા વિસ્તારમાં એક યુવાનની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. યુવાન રત્નકલાકાર પોતાના મિત્રો સાથે બેઠો હતો. તે દરમિયાન અજાણ્યા ઈસમોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હ*ત્યા કરી હતી. સમગ્ર મામલે ઉતરાણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અંબા વિલા ગ્રાઉન્ડ ખાતે ખુલ્લા પ્લોટમાં બેસેલા પારસ વેકરીયાની હ*ત્યા કરવામાં આવી હતી. અસામાજિક તત્ત્વો ચપ્પુ લઈને જાહેરમાં સોસાયટી પાસે બેસેલા ઈસમો પર હુ*મલો કરતા હોવાથી લોકોમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે.
પરિવારે 108ને કર્યો ફોન
મૃતકના ભાઈ પ્રશાંતે કહ્યું કે, ગઈકાલે રાત્રે મારા પપ્પાના ફોનમાં રેસીડેન્સી વાળા લોકોનો ફોન આવ્યો અને કહ્યું કે તમે અહીં આવો પારસને વાગ્યું છે. જેથી અમે પરિવારના લોકો ભાગતા ભાગતા ત્યાં પહોંચ્યા હતા. ત્યાં જઈને જોયું તો મારો ભાઈ લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. જેથી મેં તેનું મોઢું જોવાનો પ્રયત્ન કર્યો અને તેની બોડીને હાથ લગાડ્યો ત્યારે તે ખૂબ જ ગંભીર રીતે પીડાયેલો હતો. મેં ઘટનાને લઇ તાત્કાલિક જ 108ને ફોન કર્યો, પરંતુ મેં જોયું ત્યારે એના શ્વાસ ચાલતા જ ન હતા.પારસ તેના મિત્રો સાથે બેઠો હતો અને અચાનક અજાણ્યા 6 થી 7 ઈસમો આવ્યા હતા અને ચપ્પુના ઘા મારવા લાગ્યા હતા. પારસના મોતને પગલે પરિવાર શોકનો માહોલ સર્જાયો હતો. પરિવારે પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે.
પરિવાર શોકમાં ગરકાવ
ઉતરાણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને PM અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, પોલીસે આ ઘટનામાં 3 થી 4 ઇસમોની અટકાયત પણ કરી છે. પારસની હ*ત્યા શા માટે કરવામાં આવી અને હ*ત્યાનું કારણ શું છે તે અંગે હવે પોલીસ તપાસમાં જ ખુલાસો થાય તેમ છે. મૃ*તક પારસ વેલંજામાં નંદની સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. 21 વર્ષીય પારસ મૂળ સાવરકુંડલા દેતડ ગામના છે. પરિવારમાં બે ભાઈ અને માતા-પિતા છે. પારસ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. માતાવાડીમાં કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દીકરાની હ*ત્યા થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય