આજે શ્રાવણ વદ અંધારી ચોથ એટલે બોળ ચોથ. વર્ષોની પરંપરા અનુસાર બહેનોએ બોળ ચોથ વ્રત નિમિતે એકરંગી ગાય-વાછરડાનું પૂજન કર્યું. બોળ ચોથ નિમિતે બહેનો પરોઢીયે અથવા તો ઢળતી સાંજે વળતી ગાય સાથે તેના વાછરડાનું પૂજન કરતી હોય છે. આજે બોળ ચોથ નિમિતે બહેનો ખાંડીને કે કાપીને ખવાતા ખોરાકનો ત્યાગ કરશે. માત્ર મગ અને રોટલાનું એકટાણું કરી વિધિપૂર્વક વ્રત કથાનું પઠન કરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે. આજે બોળ ચોથ નિમિતે શહેરની બહેનોએ એકરંગી ગાય-વાછરડાનું ભકિતભાવપૂર્વક પૂજન કરી બોળ ચોથનું વ્રત કર્યું. ગાય-વાછરડાનું કંકુ-ચોખા નાગલા વડે પૂજન બાદ બહેનોએ સાથે મળીને બોળ ચોથ વ્રત કથાનું વાંચન કરી બોળ ચોથ ‘ર્માં’ વહુરાણીને વળ્યા એવા સહુને ફળજોની પ્રાર્થના કરી હતી.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ઇષ્ટદેવની આરાધનાથી લાભ થાય, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, શુભ દિન.
- શું તમારું બાળક ચીડચીડુ થઈ ગયું છે??
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે..!
- પ્રાંત કચેરી નલિયા ખાતે સંકલન બેઠક…
- પ્રશ્નાવાડા ગામે ભાવસિંગ જાદવે કર્યો એક પુરક વ્યવસાય!!!
- આવા પણ મહેમાન હોય ..!
- કાફે ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી???