સાબરકાંઠા: ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતો ના બનાવો માં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શામળાજીથી અમદાવાદ જતાં અકસ્માત નડ્યો હતો. જેમાં હિંમતનગર સહકારી જીન પાસે ટ્રેલર પાછળ કાર ધકાડાભેર અથડાતા ભંયકર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતને કારણે ઘટનાસ્થળ પર જ કારમાં બેઠેલા 7 લોકોનું કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કાર સંપૂર્ણપણે ચગદાઇ જતા કટર વડે કારના પતરા કાપી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકો શામળાજી થી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે હિંમતનગર હાઇવે પર કાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે હિંમતનગરમાં મોડાસા કડવા પાટીદાર સમાજ વાડી સામે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં હિંમતનગર સહકારી જીન પાસે ટ્રેલર પાછળ એક કાર ધડાકાભેર અથડાઇ હતી. જેમાં સવાર લોકો શામળાજી થી અમદાવાદ આવી રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં બેઠેલા 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. તેમજ 1ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું.

ટ્રેલર સાથે અથડાયા બાદ કાર કચડાઈ ગઈ હતી. જેથી કારની અંદર બેઠેલા લોકોના મતૃદેહો પણ દબાઇ ગયા હતા. ત્યારે અકસ્માતની જાણ થતા પોલીસ વિભાગ અને ફાયર વિભાગનો સ્ટફ ઘટના સ્થળે પહોચ્યો હતો. ત્યારે સ્રજયેલો આ અકસ્માત એટલો ભયંકર હતો કે ફાયર વિભાગના કર્મીઓએ કટર વડે કારના પતરા કાપી મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા. ત્યારે આ તમામ મૃતકો શામળાજી થી અમદાવાદ આવી રહ્યા હતા.

સંજય દિક્ષિત

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.