Sabarkantha: ઈડરના સુદ્રાસણામાં પરપ્રાંતીય ઈસમની હત્યા થતાં ચકચાર ઉઠી જવા પામી હતી. જે અંગે મળતી માહિતી મુજબ સુદ્રાસણા પાસેના રિવર ફ્રામહાઉસ પર રાત્રિના સમયે કલર કામના કારીગરો વરચે અંગત અદાવત મામલો સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર બની જતા તિક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક ઇસમની હત્યા થઇ હતી મૃતક ઈસમ રામપુર રામસહાય ઉતરપ્રદેશનો રહેવાસી હતો. અને અહી કલર કામ કરતો હતો. ત્યારે સામાન્ય મામલો ઉગ્ર બની જતા ઉશ્કેરાયેલા આરોપી એ તીક્ષણ હથિયાર વડે હુમલો કરી સાથીદારને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ સાથે ઘટનાની જાણ થતાં જાદર પોલીસ ધટના સ્થળે પહોંચી હતી. ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી મજૂરી કામ કરતા ઈસમને મોતને ઘાટ ઉતારી હત્યારો ફરાર થતાં આરોપીને ઝડપી લેવા L.C.B. સહિતની ટીમો કામે લાગી હતી. આ ઉપરાંત મૃતદેહને પી.એમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

સંજત દિક્ષિત

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.