Abtak Media Google News
  • ખડક કે પથ્થર એ એકથી વધુ ખનીજો કે મિનરલોઇડસનો કુદરતી રીતે બનતો નકકર સમૂહ : ખડકોનાં વૈજ્ઞાનિક અભ્યાસને
  • ‘પેટ્રોલોજી’  કહે છે : ખડકોનું સમગ્ર ઇતિહાસમાં વિશેષ મહત્વ રહ્યુ છે, પથ્થર યુગથી તેનો શસ્ત્રો અને સાધન તરીકે ઉપયોગ કરાયો છે
  • આજે ઇન્ટરનેશનલ રોક ડે

ખડકો કોઇને બહું મહત્વના ન લાગે, પણ માનવજાતના અસ્તિત્વ માટે તે જરૂરી : ત્રણ પ્રકારનાં ખડકોમાં અગ્નિકૃત, જળકૃત અને રૂપાંતરીત ખડકનો સમાવેશ થાય છે, તેણે પૃથ્વીના સૌથી પડકારરૂપ યુગમાં માનવજાતને મદદ કરી છે : આજના યુગમાં પણ પથ્થર પાયાનો પથ્થર બની ગયો છે

આદીકાળથી માનવ જીવન સાથે ઘણી વસ્તુઓ જોડાયેલી છે, જેમાં પાણી-વૃક્ષો અને પહાડોનું વિશેષ મહત્વ છે. ગુફાવાસીના કાળથી આ ત્રણેય વસ્તુંઓ સથવારે માનવ વિકાસ કરતો આવ્યો છે. આદી માનવની સંસ્કૃત્તિનો ઉછેર આવી જગ્યાએ જ થયેલો છે, જ્યાં પાણી, વૃક્ષો, પક્ષીઓ અને પહાડો હોય છે. એ કાળમાં પથ્થરમાં વિવિધ હથિયારો બનાવીને ગુફાવાસી શિકાર કરીને પોતાનું પેટ ભરતો હતો. અગ્નિ પેટાવવા પણ તે બે પથ્થરોનું ઘર્ષણ કરીને અગ્નિ ઉત્પન કરતો હતો. ખડકો કોઇને બહુ મહત્વના ન લાગે, પણ માનવ જાતના વિકાસ, અસ્તિત્વ અને સંસ્કૃત્તિ માટે મહત્વના હતા. સ્વ.બચાવ માટે પણ આદી માનવ પથ્થરનો ઉપયોગ કરતો હતો. આજે ઇન્ટરનેશનલ રોક ડે ની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે, ભાવિ પેઢીને આ બાબતે જ્ઞાન આપવું દરેકની ફરજ બની જાય છે

ખડક કે નાના-મોટા પથ્થરો જીવન વિકાસ માટે આવશ્યક પદાર્થ છે. આ અંગેના અભ્યાસને ભૂસ્તર શાસ્ત્ર કહેવાય છે. આપણી પૃથ્વી પર ત્રણ પ્રકારનાં ખડકો જોવા મળે છે, જેમાં અગ્નિકૃત, જળકૃત અને રૂપાંતરિત ખડકનો સમાવેશ થાય છે. ગુફાવાસીથી શરૂ કરીને આજના યુગ સુધી તેનો માનવ ઉપયોગ કરતો આવ્યો છે. આજે દરિયાકાંઠેથી મળતા વિવિધ પથ્થરો સુશોભન તરીકે પણ ઉપયોગ કરે છે, તેજ રીતે પ્રાચિનયુગમાં પણ કલરફૂલ પથ્થરોની માળા બનાવીને આદી માનવ પહેરતો હતો. મોટાભાગના ખડકોની રચના કુદરતી રીતે થયેલ છે. ખડક અને એક અથવા વધુ ખનીજોનો કુદરતી રીતે બનતો નક્કર સમુહ છે. માનવ જીવનનાં અસ્તિત્વ અને સંસ્કૃતિ સાથે પ્રારંભ કાળથી જોડાયેલા આ તત્વનો ઓળખવો જરૂરી છે. પર્યાવરણ મુજબ તેના રંગ-આકાર અને કદ જુદા-જુદા હોય શકે છે.

ખનીજોનો વિશાળ રફ સમુહ પથ્થર કે ખડકો છે. પૃથ્વીનો બાહ્ય પડ ખડકોનો બનેલો છે, જે આપણને પર્વતો જેવા દેખાય છે. સમગ્ર ઇતિહાસ પર નજર કરીએ તો તેનો વ્યાપક પ્રમાણે ઉપયોગ થયો છે. સાધન તરીકે કે વિવિધ હેતુંઓ માટે ઉપયોગ કરાય છે. જેમ કે માર્બલ, ગ્રેનાઇટનો ઉપયોગ ફ્લોરીંગ માટે અને નાના ખડકોનો ઉપયોગ ઇમારત બાંધવામાં, રસ્તા બનાવવામાં થાય છે. પૃથ્વી પર તે કુદરતી રીતે બન્યા હોવાથી તોડીને પછી તેમાંથી અંતિમ ઉત્પાદન મેળવવા પ્રક્રિયા થાય છે. આપણે હિરા, મોતી, રત્નો, માણેક ખરીદીએ છીએ. કારણ કે તેમાં હીલીંગ ગુણધર્મો હોવાથી તે વ્યક્તિને શાંતિ, આનંદ અને ખુશી આપે છે.

પુરાતત્વ ખાતું ખોદકામ કરીને વર્ષો પહેલાની સંસ્કૃતિનો અભ્યાસ કરે છે. અમુલ્ય ખજાનો બહાર કાઢવા, ખાણ કામ અને ઉત્ખનન પણ કરવામાં આવે છે. આદિ માનવ કે ગુફાવાસીથી શરૂ કરીને આજના યુગમાં પણ પથ્થર પાયાનો પથ્થર બની ગયો છે. પથ્થરમાંથી શિલ્પકાર મૂર્તિનું સર્જન કરે છે. અમૂક પથ્થરો તો એટલા બધા આકર્ષક હોવાથી તેની લાખેણી કિંમત અંકાઇ છે. કોલસો પણ એક જાતનો પથ્થર જ છે. પાણીના સતત ઘર્ષણ કે બહાવને કારણે વિવિધ આકારો જોવા મળે છે. જળકૃત ખડકોમાં શેલ, રેતીનો પથ્થર, ચાક અને ચુનાનો પથ્થર ગણાય છે. અમુક પિગળવા ખડકમાંથી અગ્નિકૃત ખડકો રચાય છે. જ્વાળામુખીમાંથી પૃથ્વીની સપાટી પર મેગ્મા ફાટી નીકળે છે. જેને લાવા પણ કહેવાય છે. તે સુકાતા ખડકોનું રૂપ ધારણ કરે છે. માનવની ઉત્ક્રાંતિ માટે ખડકો મૂળભૂત રહ્યા છે. શિકારના પ્રારંભિક સાધનો અને શસ્ત્રો હતા. તેમાંથી ખડક રોસેટાસ્ટોન 1799 માં શોધાયેલ. આ પથ્થરે ભાષા શાસ્ત્રીઓને ભાષા સમજવા સક્ષમ બનાવ્યા હતા. અત્યાર સુધીમાં સૌથી મોટી શુધ્ધ સોનાની ગાંઠ 1869 માં ઓસ્ટ્રેલિયામાં મળી હતી. જેનું વજન 156 બીએસ હતું. કોલસો હકિકતમાં એક જળકૃત ખડક છે, જે વનસ્પતિના પદાર્થો સંકુચિત સ્તરમાંથી રચાય છે.

ખડકો જ આપણો ગ્રહ બનાવે છે. યુગો-યુગોથી આપણે તેનો ઉપયોગ કરીને વિકાસ કરતાં આવ્યા છીએ. માનવ જાતને યોગ્ય રીતે આગળ વધારવામાં ખડકોનું મહત્વ વિશેષ છે, એટલે જ આપણે પથ્થર યુગ બોલીએ છીએ. ખડકો આપણા પર્યાવરણના રક્ષણ માટે મહત્વની ભૂમિકા અદા કરે છે, તે જમીનનું ધોવાણ પણ અટકાવે છે. ખડકોમાંથી મળી આવતા ખનીજો અને ધાતુઓ માનવ સંસ્કૃતિ માટે મહત્વના છે. માનવી જીવીત રહેવા કશુ જાણતો ન હતો ત્યારે પણ માનવતા માટે ખડકો હતા. તે એક અદ્રશ્ય વિશ્ર્વનો ઇતિહાસ ધરાવે છે. ખડકોએ માનવતાને પૃથ્વીના સૌથી પડકારરૂપ યુગમાં મદદ કરી જ્યારે માનવ પાસે કશું ન હતું.

ખડકો મહાસાગરો વચ્ચેના અંતરને પૂરવામાં મદદ કરે છે. જો ખડકો ન હોત તો આપણે હજુ કાચો ખોરાક જ ખાતા હોત. તે માનવતાની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. દોષ રહિત ખડક કરતાં ખામી વાળો હીરો વધુ સારો હોય. ખડકોના માનવ જાત માટેના મહત્વ માટે 1931 થી સમગ્ર વિશ્ર્વમાં તેનો દિવસ ઉજવાય છે. અવકાશમાંથી પણ એસ્ટરોઇડ ધરતી પર પડે છે, નાના અવકાશ ખડકો જે ઉલ્કા તરીકે ઓળખાય છે. ધરતીના પેટાળમાં પણ વિશાળ ખડકોમાં ફેરફાર થાય ત્યારે ભૂકંપ જેવી સમસ્યા આવતા ઘણીવાર નવા ખડકો પણ ધરતી પર આવી જાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.