રાજુલામાં આજરોજ ધારાસભ્ય અંબરીશ ડેરના સસ્પેશન્સના સમર્થનમાં રાજુલા શહેરમાં સજજડ બંધ રાખેલ હતો. જેમાં કોઈક ટીખળી દ્વારા મો.નં. ૯૬૮૭૪૦૨૦૨૦ પરથી ખોટી અફવા ફેલાવામાં આવલે કે કોંગ્રેસ દ્વારા બંધના એલાન સમયે કોંગ્રેસનાકેટલાક કાર્યકરો દ્વારા મુસ્લીમોને ગાળો આપીને દુકાનોબંધ કરાવવામાં આવેલ છે. જેની સામે મુસ્લીમ સમાજના અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા રાજુલા પોલીસ સ્ટેશનમાં જઈને પી.આઈ.જાડેજાને લેખીતમાં આવેદન પત્ર આપીને ખોટી અફવા ફેલાવનારા સામે પગલા ભરવાની માંગણી કરવામાં આવેલ છે. તેઓએ એવું પણ જણાવેલ છે કે, પ્રેસ, પોલીસ પોલીટીકસ વોટશેપ ગ્રુપમાં શાંતિ, સુરક્ષા સલામતી નામથી સેવ કરેલ નં. ૯૬૮૭૪૦૨૦૨૦ નામના વ્યંકિત દ્વારા આવો મેસેજ નાખેલ હતો જેની સામે કાર્યવાહી કવા માંગણી કરવામાં આવેલ છે. આ આવેદન પત્ર આપવામાં કનુભાઈ ધાખડા, ઘનશ્યામ લાયણોત્રા દિપક જાલંધરા તથા મુસ્લીમ સમાજના આગેવાને જોડાયેલ હતા.
Trending
- Xiaomi એ લોન્ચ કરી તેની બીજી ઇલેક્ટ્રિક YU7 કાર…
- HCએ આસારામના મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન કર્યા મંજૂર
- રવિ માર્કેટીંગ સીઝન અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરાશે
- Honor પોતાનો નવો ફોન લોન્ચ કરવા આતુર…
- BMW R 12 G/S Enduro મોટરસાઇકલે બજારમાં કરી રી એન્ટ્રી…
- Sensex અને Niftyમાં હલકો ઘટળો IT સેક્ટરને પડ્યો હલકો માર…
- રામલલાના લલાટ પર 4 મિનિટ સુધી ચમકશે સૂર્ય કિરણો..!
- MI અને GT વચે કાલે કઈ ટીમ મારશે બાજી…