શ્રાવણ માસના ત્રીજા સોમવારે રામનાથ મહાદેવની ૯૪મી ભવ્ય વર્ણાંગી નિકળી હતી. જેનું રાજકોટના પેલેસ રોડ ખાતે રામનાથપરા પોલીસ લાઈન યુવા ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતુ. તોપ દ્વારા પુષ્પવર્ષા કરીને માર્ગો પર દર્શન કરવા આવેલા તમામ ભાવિકોને કુલ્ફીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની તમામ વ્યવસ્થા ગ્રુપના પ્રમુખ માણસુર વાળા તરફથી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.