Abtak Media Google News

કોઠારીયા ગામેથી લગ્નમાં જતી વેળાએ સર્જાઈ કરૂણાંતિકા: પરિવારમાં આક્રંદ

રાજકોટની ભાગોળે જામનગર રોડ પર બાઈક સ્લીપ થતાં પરિણીતાનું મોત નીપજતાં દંપતી ખંડિત થયું હતું. જ્યારે અકસ્માતમાં ઘાયલ પિતા અને પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઠારીયા ગામેથી લગ્નમાં જતી વેળાએ કરુણાંતિકા સર્જાઇ હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા ગામે રહેતા મુકેશભાઈ હાથગઢડા પોતાની પત્ની જીજ્ઞાબેન અને બે વર્ષના પુત્ર સાથે બાઈક પર લગ્નમાં જવા નીકળ્યા હતા. તે દરમિયાન સગરથ ગામ પાસે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો અને ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

પરંતુ જીજ્ઞાબેનને ગંભીર ઈજાઓ થવાના કારણે સારવાર પ્રાપ્ત થાય તે પહેલાં જ તબીબોએ મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે પિતા અને પુત્રને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘટના અંગે પોલીસને જાણ થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.