Rajkot :મહાનગરપાલિકાની જનરલ બોર્ડ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યોજાઈ હતી. આ જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા 22 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રોડ રસ્તાના કયા કયા કામો થયા છે તે બાબતે માહિતી આપી હતી. આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હલ્લાબોલ થયો હતો.

bhajap

કોંગ્રેસ નેતાઓએ જનરલ બોર્ડમાં રોડ રસ્તા, ઢોર ડબ્બામાં ગાયનું મૃત્યુ થયું તે પ્રશ્ન વિરોધ કર્યો હતો. ત્યારે કોંગ્રેસ કોર્પોરેટર વશરામ સાગઠીયા જણાવ્યું હતું કે, કોંગ્રેસના કોર્પોરેટરના પ્રશ્નોના જવાબ મેયર આપી શકેલ નથી.

bhajap2

આ સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર જણાવ્યું હતું કે, કોંગ્રેસના કોર્પોરેટરો માત્ર જનરલ બોર્ડની મીટીંગમાં જ હાજર રહે છે. તેમજ નવી ટેકનોલોજીથી રાજકોટ શહેરમાં રોડ રસ્તાના પેચ વર્કનું કામ શરૂ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.